મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1111 लेख
અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP

અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ

ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં AAP: પ્રવિણ રામે કોળી સમાજની એકતા માટે કરી હાકલ

રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં

ન્યાયની લડાઈમાં કોળી સમાજ સાથે AAP: ગરીબ પર અત્યાચાર કરનારા અધિકારીઓને છોડાશે નહીં

કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

દાહોદના લીમખેડામાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 30 વર્ષમાં બંને પક્ષોએ મળીને આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ગુજરાતમાં પંજાબની જેમ મફત વીજળી, શ્રેષ્ઠ શિક્ષણ, અને મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન આપ્યું છે. પંજાબના CM ભગવંત માને ખેડૂતોને દિવસે વીજળી આપવાના મોડલની રજૂઆત કરી હતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પૈસા જનતાના, કંટ્રોલ કંપનીનો: ગુજરાત પોલીસની 112 સેવાના ખાનગીકરણ પર મોટો વિવાદ

પૈસા જનતાના, કંટ્રોલ કંપનીનો: ગુજરાત પોલીસની 112 સેવાના ખાનગીકરણ પર મોટો વિવાદ

ગુજરાત વિધાનસભામાં 112 ઇમરજન્સી સેવાના સંચાલન મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઇટાલિયાના જણાવ્યા અનુસાર, પોલીસની આખી સિસ્ટમ અને વાહનો એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોની ગુપ્ત માહિતી અને રાજ્યની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
કાયદા કરતા પહેલા લોકોની સમસ્યાઓ ઉકેલો, યુસીસી મુદ્દે ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

કાયદા કરતા પહેલા લોકોની સમસ્યાઓ ઉકેલો, યુસીસી મુદ્દે ગોપાલ ઇટાલિયાનો કટાક્ષ

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક કાયદા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ જણાવ્યું કે જો સરકાર આર્ટિકલ 44 હેઠળ સમાન કાયદો લાવવા માંગતી હોય, તો આર્ટિકલ 46 મુજબ પછાત વર્ગોના કલ્યાણ અને સમાન શિક્ષણ પર પણ ધ્યાન આપવું જોઈએ.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આપ ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

આપ ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે

રાજકોટમાં અરવિંદ કેજરીવાલનું આગમન: ઇંધણ સંકટ અને ખેડૂતો મુદ્દે પ્રહાર.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરતમાં ડ્રગ્સ વિરોધી પ્રદર્શન બદલ આપ નેતાઓની અટકાયત

સુરતમાં ડ્રગ્સ વિરોધી પ્રદર્શન બદલ આપ નેતાઓની અટકાયત

સુરત આપ નેતા અટકાયત ૨૦૨૬ ના મામલે શહેરના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે, જ્યારે શહીદ ભગતસિંહના શહાદત દિવસે ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવતા બ્રિજરાજસિંહ સોલંકી સહિત ૩૬ યુવા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. 

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચૈતર વસાવા દ્વારા નર્મદામાં યુસીસી બિલનો ઉગ્ર વિરોધ

ચૈતર વસાવા દ્વારા નર્મદામાં યુસીસી બિલનો ઉગ્ર વિરોધ

યુસીસી બિલથી આદિવાસી સમાજ પર જોખમ: ચૈતર વસાવા

Kalpesh Kosti · 2 મહિના પેહલા
'માત્ર વળતર નહીં, વ્યાજ સાથે ચૂકવણી કરો': AAP ખેડૂત નેતા સાગર રબારીનો સરકાર પર પ્રહાર

'માત્ર વળતર નહીં, વ્યાજ સાથે ચૂકવણી કરો': AAP ખેડૂત નેતા સાગર રબારીનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ વાવાઝોડા અને વરસાદને કારણે જીરું, ધાણા, ઇસબગુલ અને કેસર કેરીના પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સાવરકુંડલામાં AAP નો દબદબો: મનોજ સોરઠીયાની હાજરીમાં 15 થી વધુ જાણીતા વકીલો 'ઝાડુ' સાથે જોડાયા

સાવરકુંડલામાં AAP નો દબદબો: મનોજ સોરઠીયાની હાજરીમાં 15 થી વધુ જાણીતા વકીલો 'ઝાડુ' સાથે જોડાયા

સાવરકુંડલામાં AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં ૧૫ થી વધુ નામી વકીલો અને ખેડૂત આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જે આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે મહત્વનું ગણાય છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP નેતા જયદીપસિંહ ચૌહાણનો ભાજપ પર પ્રહાર: "અરવલ્લીમાં કાર્યકરો પર ખોટા કેસ કરી ડરાવવાનો પ્રયાસ"

AAP નેતા જયદીપસિંહ ચૌહાણનો ભાજપ પર પ્રહાર: "અરવલ્લીમાં કાર્યકરો પર ખોટા કેસ કરી ડરાવવાનો પ્રયાસ"

આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે ભાજપ સરકાર પર પોલીસનો દુરુપયોગ કરીને AAP કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
દિલ્હી વિધાનસભામાં હંગામો: આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને AAP ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા કરી માંગ

દિલ્હી વિધાનસભામાં હંગામો: આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને AAP ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા કરી માંગ

દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને પત્ર લખીને ૪ AAP ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા માંગ કરી છે અને બજેટ સત્રના બહિષ્કારની ચેતવણી આપી છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો

ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો

ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

Kalpesh Kosti · 3 મહિના પેહલા
પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.

Kalpesh Kosti · 3 મહિના પેહલા