ધર્મ
345 लेख
રામનવમી 2023: રામલલાનો છેલ્લો જન્મદિવસ અસ્થાયી બંધારણમાં, આવતા વર્ષથી ભવ્ય મંદિરમાં થશે ઉજવણી
અયોધ્યાઃ ભગવાન રામની જન્મજયંતિ છેલ્લી વખત અસ્થાયી બંધારણમાં ઉજવવામાં આવશે. આવતા વર્ષે રામ નવમી પર ભગવાન તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે. આ પછી વધુ દિવ્ય રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
નોરતાંના ગરબા : ગુજરાતની ઓળખ .
નવરાત્રિ એટલે ? શક્તિની આરાધના. 'શક્તિ' શબ્દ 'શક' ધાતુનો બન્યો છે - ઉત્તમ કાર્ય સિધ્ધ કરવા જે ક્ષમતા આપે તે દેવીશક્તિ. ગુજરાતમાં ગામેગામ આ પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી થાય છે - લગભગ ઘરમાં નૈવેધ થાય છે. એ નૈવેધને નવરાત્રિ સાથેનો સંબંધ શો હશે? નૈવેેેધ દ્વારા શક્તિપૂજા થાય, કુળદેવીને યાદ કરાય. વર્ષભર થયેલી ભૂલચૂક માફ થાય. ચોખા-ઘી-ગોળનો પ્રસાદ એટલે ધરાવે છે - વ્હેંચે છે. ક્યાંક કોઈ કુટુમ્બના ભેગા મળીને ખાય છે. ક્યાંક બધાને વ્હેંચાય છે. ક્યાંક ભોંયમાં ભંડારાય છે. ક્યાંક માતાને ચઢાવી તે છ
દેહમાંથી નીકળેલા આત્માને પુનર્જન્મ લેતાં કેટલો સમય લાગે છે?
વર્તમાન સમયના સંત પૂજ્ય શ્રીમોટાના સંદર્ભે એવું બન્યું કે એમની વિશિષ્ટ, માર્મિક અને જીવનલક્ષી વિચારધારા જેઓને સ્પર્શી ગઇ, તેઓ પામી ગયા, પરંતુ જેઓ એની ગહેરાઈમાં ઊતર્યા નહીં, તેઓએ આ વિચારધારાની વિલક્ષણતાઓથી અજ્ઞાાત રહ્યા. આજે પણ પૂજ્ય શ્રીમોટાના સૂરત અને નડિયાદના આશ્રમો એમની જ્ઞાાનજ્યોત અને સેવા જ્યોતને અખંડ સમર્પણથી જાળવી રહ્યા છે. ચુનીલાલ ભગતમાંથી એક એવું પરિવર્તન સર્જાયું કે જેથી ગુજરાતને પૂજ્ય શ્રીમોટા જેવા વિરલ આધ્યાત્મિક સંત મળ્યા.
અહંકારીને આ જગતમાં પોતાના સિવાય કોઈને ય માટે સહેજે આદર હોતો નથી !
રંગમંડપની જાહેર સ્પર્ધા અને શસ્ત્ર કૌશલોની પરીક્ષા બાદ કૌરવો અને પાંડવો વચ્ચે વેર અને કુસંપના ઊંડા બી વવાયાં, જેનું પરિણામ છે કુરુક્ષેત્રનો આ મહાસંહાર.
શ્રી કૃષ્ણનું ગીત શ્રીમદ્ ભગવત ગીતા
ગીતાજીનો સંદેશ એ છે કે, "વ્યક્તિએ નિરાશ થવાની જરૂર નથી. નિરાશ થઈશ નહીં, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે." આ ગીતાજીનો સંદેશ આપણે ગીતા જ્યંતિના દિવસે યથાર્થ કરીએ અને કર્તાપણાનો ભાવ આપણે કાઢી નાંખીએ કારણ કે, સઘળું કરવાવાળા તો ભગવાન છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં આપણે જે કર્મ કરીએ તેે ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણે કરીએ.