મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

377 लेख
અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.

Kalpesh Kosti · 8 મિનિટ પેહલા
NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

આમ આદમી પાર્ટીના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ NEET પેપર લીક મામલે સરકાર, ભ્રષ્ટ પોલીસ અને માફિયાઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પેપર લીક એ આ લોકો માટે હજારો કરોડોનો વ્યવસાય બની ગયો છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે.

Kalpesh Kosti · 24 મિનિટ પેહલા
ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ બદલ NTA ને "નોટ ટ્રસ્ટેબલ એજન્સી" ગણાવી છે. તેમણે ૨૦૨૪ ના ડેટા ટાંકીને જણાવ્યું કે NTA ની ૧૪ માંથી ૫ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, જે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. ડો. બારોટે ગંભીર આક્ષેપ કર્યો છે કે પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન છે.

Kalpesh Kosti · 54 મિનિટ પેહલા
"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ

"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો સંદેશ દ્વારા NEET પેપર લીક અને પરીક્ષા રદ થવાના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ૨૩ લાખ વિદ્યાર્થીઓની બે વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જે દેશ માટે શર્મજનક છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં થયેલા ૨૧ પેપર લીકની મોડસ ઓપરેન્ડી હવે કેન્દ્રમાં પણ જોવા મળી રહી છે.

Kalpesh Kosti · એક કલાક પેહલા
ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ NEET પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક થયા છે, જેના કારણે ભાજપ હવે "પેપર ફોડ પાર્ટી" તરીકે ઓળખાઈ રહી છે.

Kalpesh Kosti · એક કલાક પેહલા
યુવરાજસિંહ જાડેજાના સરકાર પર પ્રહાર: "પરીક્ષા રદ કરવી એ સમાધાન નથી, માફિયાઓને જેલમાં મોકલો"

યુવરાજસિંહ જાડેજાના સરકાર પર પ્રહાર: "પરીક્ષા રદ કરવી એ સમાધાન નથી, માફિયાઓને જેલમાં મોકલો"

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ NEET ૨૦૨૬ પરીક્ષા રદ થવા મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા રદ કરવી એ કાયમી ઉકેલ નથી; જ્યાં સુધી પેપર લીક માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને કડક સજા નહીં થાય ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે.

Kalpesh Kosti · 21 કલાક પેહલા
ઈસુદાન ગઢવીનો પીએમ મોદી પર વળતો પ્રહાર: “પહેલા સરકાર પોતાના ખર્ચા અને રેલીઓ પર કાપ મૂકે”

ઈસુદાન ગઢવીનો પીએમ મોદી પર વળતો પ્રહાર: “પહેલા સરકાર પોતાના ખર્ચા અને રેલીઓ પર કાપ મૂકે”

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોના અને પેટ્રોલના વપરાશમાં કાપ મૂકવાની અપીલ પર આકરી પ્રતિક્રિયા આપી છે. ગઢવીએ જણાવ્યું હતું કે જો દેશ આર્થિક સંકટમાં હોય તો સરકારે સૌથી પહેલા પોતાના વિમાનો, ભવ્ય રેલીઓ અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવી જોઈએ.

Kalpesh Kosti · 21 કલાક પેહલા
ભગવંત માન સરકારની નવી વ્યૂહરચના: હરજોત બેન્સ, અમન અરોરા અને સોંધને મળી મોટી જવાબદારી

ભગવંત માન સરકારની નવી વ્યૂહરચના: હરજોત બેન્સ, અમન અરોરા અને સોંધને મળી મોટી જવાબદારી

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રસ્તાવિત મંત્રીમંડળના વિભાગોની ફેરબદલને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર હેઠળ તરુણપ્રીત સિંહ સોંધને વીજળી વિભાગ, હરજોત સિંહ બેન્સને સ્થાનિક સંસ્થાઓ અને અમન અરોરાને ઉદ્યોગ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે ૨૦૨૨ માં સરકાર બન્યા પછી સ્થાનિક સરકાર વિભાગમાં આ છઠ્ઠી વખત ફેરફાર થયો છે.

Kalpesh Kosti · એક દિવસ પેહલા
પંજાબ સાથે અન્યાય? હજારો કરોડનું ફંડ રોકવા મુદ્દે કેજરીવાલે કેન્દ્ર સરકારને ઘેરી

પંજાબ સાથે અન્યાય? હજારો કરોડનું ફંડ રોકવા મુદ્દે કેજરીવાલે કેન્દ્ર સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબના મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને થઈ રહેલા EDના દરોડા પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ EDનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ પર પક્ષ બદલવા દબાણ કરી રહ્યું છે. તેમણે અશોક મિત્તલનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ભાજપમાં જોડાતા જ તપાસ બંધ થઈ જાય છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા ‘આપ’ નેતા બ્રિજરાજ સોલંકી, ડ્રગ્સ મુદ્દે આક્ષેપ

હર્ષ સંઘવીનું રાજીનામું માંગતા ‘આપ’ નેતા બ્રિજરાજ સોલંકી, ડ્રગ્સ મુદ્દે આક્ષેપ

ગુજરાતમાં વધતા ડ્રગ્સ અને દારૂના દૂષણ મુદ્દે આમ આદમી પાર્ટીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. 14 લાખ ગુજરાતીઓ નશાના બંધાણી હોવાનો વિધાનસભાનો આંકડો ટાંક્યો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
મતદાન યાદીમાંથી આખી સોસાયટીના ૧૦૦૦ નામ ગાયબ: ચૂંટણી પ્રક્રિયા સામે ડૉ. કરન બારોટના સવાલો

મતદાન યાદીમાંથી આખી સોસાયટીના ૧૦૦૦ નામ ગાયબ: ચૂંટણી પ્રક્રિયા સામે ડૉ. કરન બારોટના સવાલો

આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિઓ મુદ્દે સરકાર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૭૦૦થી વધુ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે એક આખી સોસાયટીના ૧૦૦૦ લોકોના નામ મતદાન યાદીમાંથી ગાયબ હોવાના કારણે તેઓ મતાધિકારથી વંચિત રહ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ઝઘડિયા કાંડ: "પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે", ચૈતર વસાવાનો હુંકાર

ઝઘડિયા કાંડ: "પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે", ચૈતર વસાવાનો હુંકાર

ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. 3 FIR બાદ પણ શ્રમિકોના ન્યાય માટે જેલ જવા તૈયાર હોવાની જાહેરાત કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ઝઘડિયા પ્લાન્ટ બ્લાસ્ટ: ચૈતર વસાવા પર પોલીસ સંકટ, ઈસુદાન ગઢવીના પ્રહાર

ઝઘડિયા પ્લાન્ટ બ્લાસ્ટ: ચૈતર વસાવા પર પોલીસ સંકટ, ઈસુદાન ગઢવીના પ્રહાર

ઝઘડિયા કેમિકલ ફેક્ટરી દુર્ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ મુદ્દે ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. આદિવાસી નેતાને જેલમાં નાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
જામનગર: હેમંત ખવાનો જાદુ યથાવત, લાલપુર પંચાયત પર 'આપ'નો કબજો

જામનગર: હેમંત ખવાનો જાદુ યથાવત, લાલપુર પંચાયત પર 'આપ'નો કબજો

જામનગરના લાલપુર અને જામજોધપુરમાં AAPની ભવ્ય જીત થઈ છે. ધારાસભ્ય હેમંત ખવાની લોકપ્રિયતા સામે ભાજપનું ગણિત નિષ્ફળ રહ્યું. જાણો પંચાયત ચૂંટણીના પરિણામોની વિગત.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગુજરાતમાં AAPની ઐતિહાસિક કૂચ: ભાજપ-કોંગ્રેસ સિવાય સૌથી વધુ સીટોનો રેકોર્ડ

ગુજરાતમાં AAPની ઐતિહાસિક કૂચ: ભાજપ-કોંગ્રેસ સિવાય સૌથી વધુ સીટોનો રેકોર્ડ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ ઐતિહાસિક પ્રદર્શન કરી 13 તાલુકા પંચાયતોમાં બહુમતી મેળવી છે. ગોપાલ ઇટાલિયાએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવ્યો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ઇસુદાન ગઢવી: ગુજરાતમાં ‘આપ’નો ઉદય, 2027 માટે ક્રાંતિનો શંખનાદ

ઇસુદાન ગઢવી: ગુજરાતમાં ‘આપ’નો ઉદય, 2027 માટે ક્રાંતિનો શંખનાદ

ઇસુદાન ગઢવીએ સ્થાનિક ચૂંટણીમાં 366 સીટો સાથે આપને મજબૂત વિકલ્પ ગણાવ્યો. ભાજપની તાનાશાહી સામે લડનારા 5,445 ઉમેદવારોને તેમણે ગુજરાતના ક્રાંતિવીર કહ્યા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
મનોજ સોરઠીયા: સુરતમાં ‘આપ’ મજબૂત વિપક્ષ, જનતાનો ફેંસલો સ્વીકાર્ય

મનોજ સોરઠીયા: સુરતમાં ‘આપ’ મજબૂત વિપક્ષ, જનતાનો ફેંસલો સ્વીકાર્ય

મનોજ સોરઠીયાએ સુરત મહાનગરપાલિકાના પરિણામોને શિરોમાન્ય ગણાવ્યા. તેમણે સુરતની જનતાનો આભાર માની આગામી 5 વર્ષ મજબૂત વિપક્ષ તરીકે લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ચૈતર વસાવા: ગુજરાતમાં ‘આપ’ હવે ભાજપ સામે સીધો પડકાર બન્યું

ચૈતર વસાવા: ગુજરાતમાં ‘આપ’ હવે ભાજપ સામે સીધો પડકાર બન્યું

ચૈતર વસાવાએ સ્થાનિક ચૂંટણી પરિણામોને જનતાનો વિજય ગણાવ્યો. ભાજપના પ્રલોભનો સામે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં બીજા ક્રમની શક્તિ બની હોવાનો દાવો કર્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પરિણામ પહેલા AAPનો હુંકાર: ગુજરાતે અમને વિકલ્પ તરીકે સ્વીકાર્યા, આવતીકાલે પરિવર્તનની આશા જીવંત થશે

પરિણામ પહેલા AAPનો હુંકાર: ગુજરાતે અમને વિકલ્પ તરીકે સ્વીકાર્યા, આવતીકાલે પરિવર્તનની આશા જીવંત થશે

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ નહીં પણ પોલીસ તંત્ર, ગુંડાઓ અને બાહુબલીઓ સામેની લડાઈ હતી. AAP નેતાએ દાવો કર્યો છે કે ગુજરાતની જનતાએ હવે ત્રીજા વિકલ્પને સ્વીકારી લીધો છે અને આવતીકાલે મોટી સંખ્યામાં AAPના ઉમેદવારો વિજયી થશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, હવે અવાજ દબાવવા એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા : ઈસુદાન ગઢવીનો હુંકાર

પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, હવે અવાજ દબાવવા એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા : ઈસુદાન ગઢવીનો હુંકાર

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઈસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર, છેલ્લા 28 દિવસમાં AAP ના સોશિયલ મીડિયા પર 8 કરોડની રિચ અને લાખો ફોલોઅર્સના રિસ્પોન્સથી ડરીને ભાજપે સત્તાનો દુરુપયોગ કરી એકાઉન્ટ્સ બંધ કરાવ્યા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા