મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

અમદાવાદ મંડળે ફેસ્ટિવલ સીઝન દરમિયાન ભીડ નિયંત્રણ માટે લીધા વ્યાપક પગલાં

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવનારા દિવાળી અને છઠ પૂજા તહેવાર દરમિયાન મુસાફરોની અવરજવર શક્ય ભારે વધારો ધ્યાનમાં રાખીને સુરક્ષિત, સુચારૂ અને કાર્યક્ષમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક ભીડ વ્યવસ્થાપન અને મુસાફર સુવિધા માટેના પગલાં લેવામાં આવ્યા છે.

અમદાવાદ મંડળે ફેસ્ટિવલ સીઝન દરમિયાન ભીડ નિયંત્રણ માટે લીધા વ્યાપક પગલાં

આ અંતર્ગત અમદાવાદ, અસારવા, સાબરમતી અને ગાંધીધામ સ્ટેશનો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ, અસારવા અને સાબરમતી સ્ટેશનો પર 24x7 અધિકારીઓની દેખરેખ હેઠળ વ્યાપક મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ પરિસ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરી શકાય.

અમદાવાદ સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે સરસપુર તરફ 3230 ચોરસ ફૂટ અને પ્લેટફોર્મ નં. 01 તરફ 8072 ચોરસ ફૂટના પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જેમાં પૂરતી બેસવાની સુવિધા, શુદ્ધ પીવાનું પાણી, પ્રકાશ, પંખા, શૌચાલય તેમજ જાહેર જાહેરાત પ્રણાલી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સાબરમતી સ્ટેશન પર નવનિર્મિત બિલ્ડિંગમાં ટિકિટ કાઉન્ટર તેમજ 4 થી 5 હજાર મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ અને નીકળવાના દરવાજા અલગ રાખવામાં આવ્યા છે જેથી અવરજવરનો પ્રવાહ સરળ રહે. 15 થી 28 ઑક્ટોબર 2025 દરમિયાન તબીબી ટીમની તૈનાતી પણ રાખવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત સારવાર મળી શકે.

ભીડ નિયંત્રણ અને યાત્રી સુવિધા માટે વધારાના ટિકિટ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. લાઈન વ્યવસ્થાપન, યાત્રી સહાય અને સુરક્ષા માટે વધારાના ટિકિટ તપાસ કર્મચારી અને RPF સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. રાહ જોતા યાત્રીઓ માટે સ્ટેશનો પર આવરિત હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે જેથી ટ્રેનના પ્રસ્થાન સુધી યાત્રીઓ આરામથી રહી શકે.

રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ફરજ દરમિયાન વૉકી-ટૉકી અને બોડી-વૉર્ન કેમેરાનો ઉપયોગ કરીને સતત ડિજિટલ સંચાર જાળવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત CCTV દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમદાવાદ મંડળ કચેરીમાં ‘વૉર રૂમ’ (War Room) સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી તમામ સ્ટેશનો સાથે વાસ્તવિક સમયના સંકલન દ્વારા પરિસ્થિતિની દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આ સુવિધાઓના માધ્યમથી પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ યાત્રીઓને તહેવારના દિવસોમાં પણ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની ખાતરી આપે છે. આ ઉપાયો યાત્રીઓને લાંબી કતારો, અનાવશ્યક ભીડ અને અસુવિધાથી રાહત આપશે તેમજ સ્ટેશન પર સુરક્ષા અને સ્વચ્છતા સ્તર પણ વધારશે.

પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ સ્ટેશન પર નિર્ધારિત હોલ્ડિંગ એરિયાનું ઉપયોગ કરે અને સુરક્ષા કર્મીઓ તથા રેલવે કર્મચારીઓના માર્ગદર્શનનું પાલન કરે જેથી દરેક યાત્રી માટે મુસાફરીનો અનુભવ સુખદ અને સુરક્ષિત બની રહે.

fashion

સંબંધિત સમાચાર

travel