સ્વ. શ્રી રતન ટાટાને વિશેષ શ્રધ્ધાંજલિ આપવા માટે એએમએ દ્રારા ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકર દ્રારા "લીડરશિપ ઑફ રતન ટાટા" વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. શૈલેષ ઠાકરે સ્વ. શ્રી રતન ટાટાના નેતૃત્વ પર સંબોધન કર્યું હતું કે જે દૂરંદેશી નેતૃત્વ, નૈતિક વ્યવસાય પ્રથાઓ અને સામાજિક પ્રભાવ પર અવિરત ધ્યાન કેન્દ્રિત કરવા અને માર્ગદર્શક સિધ્ધાંતો માટે જાણીતું છે.
એએમએના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા પણ નેતૃત્વ પર સંબોધન કર્યું હતું અને શ્રી આર ગોપાલક્રિષ્નન (ભૂતપૂર્વ વાઇસ ચેરમેન-એચયુએલ અને ઈડી-ટાટા સન્સ)એ ટાટા જૂથ સાથે કામ કરવાના તેમના અનુભવો જણાવ્યા હતાં અને સહભાગીઓને ટાટાના વારસાને વ્યાખ્યાયિત કરતા નેતૃત્વના સિધ્ધાંતોની દુર્લભ ઝલક આપી.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા એએમએની વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org