મુખ્ય સામગ્રી પર જાઓ

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેકઅપનું આયોજન

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રોટરી ક્લબ, ડીસા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ આર. એસ. પટેલ સાહેબ, હિનાબેન જરીવાલા, શ્રીમતી મોનાબેન પટેલ, ડૉ. શ્રી હિતેન્દ્રભાઈ ગોહેલ, ડૉ શ્રી ડીકેશભાઈ ગોહેલ-રોટરી પ્રમુખશ્રી, ડૉ. શ્રી હેતલબેન ગોહેલના સયુંકત સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેકઅપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેકઅપનું આયોજન

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રોટરી ક્લબ, ડીસા ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રીમતી મોનાબેન પટેલ, ડૉ. શ્રી હિતેન્દ્રભાઈ ગોહેલ, ડૉ શ્રી ડીકેશભાઈ ગોહેલ-રોટરી પ્રમુખશ્રી, રોટરી આસીસટન્ટ ગવર્નર - ડૉ. શ્રી હેતલબેન ગોહેલના સયુંકત સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા સ્કીનીંગ ચેકઅપનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

સ્તન કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી હાજરી આપી હતી. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર એસ પટેલ સાહેબનો શુભેચ્છા સંદેશ પાઠવી સૌને સેવા ના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું.

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.

દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

સંબંધિત સમાચાર