ઉનાળાની કડક ગરમીમાં તરસતા પક્ષીઓ માટે જીવ વાત્સલ્ય ટીમ દ્વારા રામપર વેકરા ગામ ખાતે પક્ષીઘર અને પાણીના કુંડાઓ મૂકવાની સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગરમીના દિવસોમાં પાણી અને આશ્રયના અભાવે અનેક પક્ષીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવા સમયે જીવ વાત્સલ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી આ પહેલ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ગામના વિવિધ વિસ્તારોમાં પક્ષીઘર અને પાણીના કુંડાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી પક્ષીઓને સુરક્ષિત આશ્રય અને પીવાનું પાણી મળી રહે.
આ પ્રસંગે જીવ વાત્સલ્ય ટીમ દ્વારા ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર, દુકાન, શાળા તેમજ જાહેર સ્થળોએ પાણીના કુંડાઓ મૂકી આ જીવદયા અભિયાનમાં સહભાગી બને.
ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે પ્રકૃતિ અને પક્ષીઓના સંરક્ષણ માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને આગળ આવવું જોઈએ. આ નાનકડું પરંતુ કિંમતી પગલું સમાજમાં જીવદયા, માનવતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
“ચાલો આપણે પણ એક કુંડો મૂકીએ…” અભિયાન અંતર્ગત વધુને વધુ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.