મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

પૂર્વોત્તર રેલમાં નોન-ઇન્ટરલોકિંગ – અમદાવાદની 4 ટ્રેનો પ્રભાવિત, જુઓ લિસ્ટ

પૂર્વોત્તરમાં નોન-ઇન્ટરલોકિંગથી અમદાવાદની 19489, 19490, 09466, 19166 ટ્રેનો આંશિક કેન્સલ + લેટ + રૂટ ચેન્જ. 16-17 ડિસેમ્બરે અસર – જુઓ સંપૂર્ણ લિસ્ટ.

પૂર્વોત્તર રેલમાં નોન-ઇન્ટરલોકિંગ – અમદાવાદની 4 ટ્રેનો પ્રભાવિત, જુઓ લિસ્ટ

પૂર્વોત્તર રેલવેના મઊ-પિપહરી ડીહ-દુલ્લહપુર સેક્શનમાં પેચ ડબલિંગ કમીશનીંગ અને મઊ-ખુરહટ પ્રી-નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :-

આંશિક રદ ટ્રેનો

·         16 ડિસેમ્બર 2025 ની ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ વારાણસી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે તથા વારાણસી-ગોરખપુર વચ્ચે આંશિક રદ રહેશે.
·         17 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ વારાણસી સ્ટેશનથી ઓરિજિનેટ (પ્રારંભ) થશે અને ગોરખપુર-વારાણસી સ્ટેશન વચ્ચે આંશિક રદ રહેશે.

રિશિડ્યુલ/રેગ્યુલેટ ટ્રેનો

·         17 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી 4 કલાક મોડી પ્રસ્થાન કરશે.
·         9,10 અને 11 ડિસેમ્બર 2025 ની ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે.

માર્ગ પરિવર્તિત ટ્રેન

·         15 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ નિર્ધારિત માર્ગ ફેફના-ઈંદારા-મઊ-શાહગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા ફેફના-ગાજીપુર સિટી-ઔડિહાર-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ અને અયોધ્યા કેન્ટ સ્ટેશન પર જશે નહી.

·         10,13 અને 15 ડિસેમ્બર 2025 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ફેફના-ઈંદારા-મઊ-શાહગંજને બદલે પરિવર્તિત માર્ગ ફેફના-ગાજીપુર સિટી-ઔડિહાર-જૌનપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ, આજમગઢ, મઊ અને બલિયા સ્ટેશનો પર જશે નહીં.

ટ્રેનોના સંચાલન, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી  www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
 

fashion

સંબંધિત સમાચાર

travel