સંરક્ષણ પત્રકાર વજાહત એસ. ખાને પાકિસ્તાન એરફોર્સ (PAF)માં હાજર ભ્રષ્ટાચાર અંગેના સમાચાર લીક કર્યા હતા. આ પછી PAFએ તપાસ કરી. તપાસ બાદ 13 અધિકારીઓનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યું હતું. જેમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની ફાઈટર જેટ ભારત મોકલનાર અધિકારીનો પણ સમાવેશ થાય છે.
નિવૃત્ત એર માર્શલ જાવેદ સઈદે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત વિરુદ્ધ ઓપરેશન સ્વિફ્ટ રીટોર્ટ શરૂ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાની F-16 ફાઈટર જેટને કાશ્મીર મોકલવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે હવાઈ ડોગ ફાઇટ થઈ હતી.