નિષ્ણાતોએ શરૂઆતથી જ યોગ્ય આદતો કેળવવા પર આપ્યો ભાર
૨૦થી ૩૦ વર્ષની ઉંમર (૨૦s) સામાન્ય રીતે નવી તકો, કરિયરનો વિકાસ અને વ્યક્તિગત સિદ્ધિઓનો સમયગાળો માનવામાં આવે છે. પરંતુ, ડેન્ટલ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઓરલ કેર એટલે કે મોંની સંભાળ માટે તંદુરસ્ત આદતો કેળવવાનો પણ આ એક અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. કમનસીબે, ઘણા યુવાનો અજાણતામાં મોંની સંભાળ રાખવામાં એવી નાની-નાની ભૂલો કરી બેસે છે, જે ભવિષ્યમાં દાંતની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
ઓરલ હેલ્થ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુવાનોમાં મોંની સંભાળ સંબંધિત મોટાભાગની સમસ્યાઓ સંપૂર્ણ બેદરકારીને કારણે નહીં, પરંતુ રોજબરોજની નાની ધારણાઓને કારણે ઊભી થાય છે. ઉતાવળમાં બ્રશ કરવું, ફ્લોસિંગ (દાંત વચ્ચે સફાઈ) ન કરવી, નિયમિત ડેન્ટલ ચેક-અપ ટાળવું અથવા પેઢામાંથી લોહી આવવું, મોંની દુર્ગંધ કે દાંતમાં ઝણઝણાટી (સેન્સિટિવિટી) જેવા સંકેતોને સામાન્ય ગણીને અવગણવા- આ બધું હાનિકારક માનવામાં આવે છે. જો કે, આ ઉપરછલ્લી દેખાતી નાની ભૂલો ધીમે-ધીમે પેઢાના સ્વાસ્થ્યને બગાડે છે, દાંતનું ઉપરનું પડ (ઇનેમલ) નબળું પાડે છે અને લાંબા ગાળે દાંતની ગંભીર સમસ્યાઓનું જોખમ વધારે છે.
ઓરલ કેર નિષ્ણાત ડૉ. સોનિયા દત્તાએ જણાવ્યું હતું કે, “૨૦ની આસપાસની ઉંમરના ઘણા લોકો એવું માને છે કે જો તેમને કોઈ દુખાવો કે દાંતની દેખીતી સમસ્યા ન હોય, તો તેમનું ઓરલ હેલ્થ એકદમ સારું છે. પરંતુ, કોઈ લક્ષણો ન હોવાનો અર્થ એ નથી કે કોઈ બીમારી નથી. દાંતની ઘણી સમસ્યાઓ ખૂબ જ ધીરે-ધીરે અને શાંતિથી વધે છે, તેથી જ રોજિંદી સંભાળ અને અગમચેતી અનિવાર્ય છે.”
નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે જીવનનો આ તબક્કો ભવિષ્યની સમસ્યાઓ અટકાવવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. આજે નિયમિતપણે લેવાયેલા ઓરલ કેરના યોગ્ય નિર્ણયો ભવિષ્યમાં દાંતની મોટી અને ખર્ચાળ સારવારની જરૂરિયાતને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. ઓરલ હેલ્થ ક્યારેક-ક્યારેક લેવાતા સુધારાત્મક પગલાંથી નહીં, પરંતુ વર્ષો સુધી સતત અનુસરવામાં આવતી સરળ રોજિંદી આદતોથી નક્કી થાય છે.
ડૉ. સોનિયા દત્તાએ વધુમાં ઉમેર્યું કે, “સારી ઓરલ હેલ્થ એક વખતના પ્રયત્નોથી નથી બનતી, તે સતત જાળવી રાખેલી આદતોથી બને છે. દિવસમાં બે વાર બ્રશ કરવું, પેઢાની યોગ્ય સંભાળ રાખવી અને યોગ્ય ટૂથપેસ્ટની પસંદગી કરવા જેવી સરળ બાબતો લાંબા સમય સુધી દાંતના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મોટો તફાવત લાવી શકે છે.”
ગ્રાહકો જ્યારે રોજિંદા ઓરલ કેર માટે ભરોસાપાત્ર ઉપાયો શોધી રહ્યા છે, ત્યારે ડાબર રેડ ટૂથપેસ્ટ કરોડો ભારતીયોની મનપસંદ પસંદગી રહી છે. તેની આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં પરંપરાગત સામગ્રીઓના ગુણો સમાયેલા છે, જેમ કે લવિંગ- જે દાંતના દુખાવામાં રાહત આપવા માટે જાણીતું છે, અને સુંઠ - જે પેઢાની સંભાળમાં મદદરૂપ માનવામાં આવે છે. ગ્રાહકોના આ વિશ્વાસને વધુ મજબૂત કરતાં, ડાબર રેડ ટૂથપેસ્ટ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) ની મંજૂરીની મહોર પણ ધરાવે છે.
દાંતને મજબૂત અને પેઢાને તંદુરસ્ત રાખવા માટે બનાવવામાં આવેલી ડાબર રેડ ટૂથપેસ્ટ આયુર્વેદના જ્ઞાનને આધુનિક ગુણવત્તાના ધોરણો સાથે જોડે છે, જે નાની ઉંમરથી જ ઓરલ કેરની તંદુરસ્ત આદતો કેળવવા માંગતા લોકો માટે એક આદર્શ સાથી બને છે.
નિષ્ણાતો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, ઓરલ હેલ્થને પ્રાથમિકતા આપવાનો શ્રેષ્ઠ સમય કોઈ સમસ્યા દેખાય ત્યારે નથી, પરંતુ જ્યારે બધું એકદમ સામાન્ય લાગતું હોય ત્યારે છે. રોજબરોજની નાની પસંદગીઓ - જેમાં તમે નિયમિતપણે કઈ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તેનો પણ સમાવેશ થાય છે. આવનારા વર્ષો સુધી તમારા દાંતના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.