મુખ્ય સામગ્રી પર જાઓ

પાકિસ્તાન ગોળી ચલાવશે તો હવે જવાબમાં ગોળો મળશે: અમિત શાહ બિહારમાં ગર્જ્યા

અમિત શાહ બિહાર રેલી માં આકરા પ્રહાર. આતંકવાદી ગોળીનો જવાબ ગોળીનો જવાબ ગોળાથી આપીશું. બિહાર સંરક્ષણ કોરિડોર અને ઘૂસણખોરો મુદ્દે પ્રહાર.

પાકિસ્તાન ગોળી ચલાવશે તો હવે જવાબમાં ગોળો મળશે: અમિત શાહ બિહારમાં ગર્જ્યા

પટના. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર રેલીમાં સાસારામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પરથી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં થયેલા આતંકી હુમલાઓનો ભારતે તાકાતથી જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં થનારા કોઈપણ હુમલાનો પણ એટલો જ નિર્ણાયક જવાબ આપવામાં આવશે.

શક્તિપીઠની આ પવિત્ર ભૂમિ પરથી અમિત શાહ બિહાર રેલીમાં ગર્જ્યા, "જો આતંકવાદીઓ ગોળી ચલાવશે, તો 'હમ ગોલી કા જવાબ ગોલે સે દેંગે'." તેમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે આ 'ગોળો' ક્યાં બનવાનો છે તે તમે જાણો છો? વડાપ્રધાન મોદી બિહાર સંરક્ષણ કોરિડોર સ્થાપિત કરવા જઈ રહ્યા છે અને અહીં ઓર્ડનન્સ ફેક્ટરી (શસ્ત્ર ફેક્ટરી) લગાવશે.

સર્જિકલ સ્ટ્રાઇક અને 'ઓપરેશન સિંદૂર'ની તાકાત

ગૃહમંત્રીએ અગાઉની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોની આતંક સામેની કાર્યવાહીની સરખામણી વર્તમાન સરકાર સાથે કરી હતી. તેમણે કહ્યું, "જ્યારે સોનિયા, મનમોહન અને લાલુ યાદવ સત્તામાં હતા, ત્યારે આતંકવાદીઓ છૂપાઈને આવતા, આપણી જમીન પર હુમલો કરતા અને ભાગી જતા હતા. કોઈ પૂછપરછ થતી નહોતી."

તેમણે ઉમેર્યું, "નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવ્યા પછી, અમે ઉરી હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇક કરી." શાહે તાજેતરના પહેલગામ આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ૨૫ ભારતીય અને એક નેપાળી નાગરિકો માર્યા ગયા હતા. તેમણે ભારત દ્વારા હાથ ધરાયેલા "ઓપરેશન સિંદૂર"ને મજબૂત બદલો ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં ધર્મ પૂછીને આપણા પ્રવાસીઓની હત્યા કરવામાં આવી, જેના ૨૨ દિવસની અંદર જ અમે 'ઓપરેશન સિંદૂર' કર્યું અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદનો સફાયો કર્યો.

ઘૂસણખોરી અને વોટ બેંકની રાજનીતિ

ગૃહમંત્રીએ રાહુલ ગાંધી અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો કે તેમની તાજેતરની 'યાત્રા' "ઘૂસણખોરોનું રક્ષણ કરવા" માટે હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર બિહારમાંથી ઘૂસણખોરોને દૂર કરવા માટે કામ કરશે.

તેમણે કહ્યું, "રાહુલ ગાંધી અને લાલુ યાદવના પુત્રએ થોડા દિવસો પહેલા એક 'યાત્રા' શરૂ કરી હતી. તેનો હેતુ શું હતો? ...તેમણે ઘૂસણખોરોનું રક્ષણ કરવા માટે તે શરૂ કરી હતી... શું બિહારમાં ઘૂસણખોરો માટે કોઈ જગ્યા હોવી જોઈએ?" શાહે ભારપૂર્વક જણાવ્યું કે ઘૂસણખોરો આપણા યુવાનોની નોકરીઓ છીનવી રહ્યા છે, ગરીબોના રાશન લઈ રહ્યા છે અને દેશને અસુરક્ષિત બનાવી રહ્યા છે.

અમિત શાહ બિહાર રેલીમાં વચન આપતા કહ્યું કે, વિપક્ષ ઘૂસણખોરોની "વોટ બેંક" બનાવી રહ્યું છે, જ્યારે મોદી સરકાર બિહારમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે શપથ લેતા કહ્યું કે, "અમે દરેક ઘૂસણખોરને બિહારમાંથી હાંકી કાઢવા માટે કામ કરીશું. તેઓ ઘૂસણખોરોનો કોરિડોર બનાવવા માંગે છે, અને નરેન્દ્ર મોદી ઔદ્યોગિક કોરિડોર બનાવવા માંગે છે." તેમણે આશા વ્યક્ત કરી કે આગામી પાંચ વર્ષમાં સમગ્ર બિહારને વિકસિત રાજ્ય બનાવવા માટે કામગીરી કરવામાં આવશે.
 

સંબંધિત સમાચાર