મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?

દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાં સમન્સના આદેશને પડકાર્યો હતો.

પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન

ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમણે દાવો કર્યો હતો કે આતિષીએ લગાવેલા આરોપોએ તેમની અને તેમની પાર્ટી (ભાજપ)ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.

fashion

સંબંધિત સમાચાર

travel