ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવી દીધું છે.
કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના નેતા રાજીવ ચંદ્રશેખરે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.
તેમણે કહ્યું કે શ્રી મોદીની પરિવર્તન અને અમલ કરવાની અભૂતપૂર્વ ક્ષમતા દેશની ધારણાને બદલી રહી છે. શ્રી ચંદ્રશેખરે કહ્યું કે સરકારે 2019 થી 2024ના સમયગાળામાં વિકસિત ભારતનો પાયો નાખ્યો છે.
તેમણે કહ્યું કે ભારતે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 8.4 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે. દેશની આ સિદ્ધિ મોદી સરકારના પ્રયાસો અને ક્ષમતાઓને દર્શાવે છે.