મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે આપણા પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે.આવી સ્થિતિમાં, આ વર્ષની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો" છે, એટલે કે, આધુનિકતાના આ યુગમાં, આપણે પોતાને અને આપણી પ્રકૃતિને પ્લાસ્ટિકના પ્રદૂષણથી થતા નુકસાનથી વાકેફ કરવાની છે.
અમદાવાદ મંડળ પર સિંગલ યુઝ પ્લાસ્ટીક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વધે તેવા વિષયો પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી માટે શપથ લેવાયા હતા, સાથે જ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરમતી ન્યુ રેલ્વે કોલોની ગ્રાઉન્ડ ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન અને તમામ શાખા અધિકારીઓ, રેલ્વે કર્મચારીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધકે દરેકને તેમની ભાવિ પેઢીઓ માટે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
મંડળ રેલ પ્રબંધકની ઓફિસમાં પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં રેલવે કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિકના કચરા અંગે જાગૃતિ વિષયો પર નિબંધ લખ્યા હતા.
રેલ્વે કર્મચારીઓના બાળકોએ કોમ્યુનિટી હોલ સાબરમતી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં પર્યાવરણ સંરક્ષણ અંગે ઉત્તમ ચિત્રો બનાવ્યા હતા.