પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હશે. ઓટીપી નું સફળ સત્યાપન થયા પછી જ ટિકિટ જારી કરવામાં આવશે.
આ ઓટીપી આધારિત તત્કાલ પ્રમાણિકરણ પ્રણાલી 18 ડિસેમ્બર, 2025 થી નીચેની ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે
1. ટ્રેન નં. 19223 સાબરમતી-જમ્મુ તાવી એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19316/19315 અસારવા-ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ
નીચેની ટ્રેનોમાં 5 ડિસેમ્બર 2025 થી OTP-આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ શરૂ છે
1. ટ્રેન સંખ્યા 12957 સાબરમતી – નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
2. ટ્રેન સંખ્યા 12297 અમદાવાદ–પુણે દૂરંતો એક્સપ્રેસ
3. ટ્રેન સંખ્યા 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
4. ટ્રેન સંખ્યા 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
5. ટ્રેન સંખ્યા 12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી (01.12.2025 થી લાગુ )
નવી પ્રણાલી કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈઆરસીટીસી વેબસાઈટ તેમજ આઈઆરસીટીસી મોબાઇલ એપ્લિકેશન મારફતે કરવામાં આવેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી સત્યાપન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. પશ્ચિમ રેલ્વે દ્વારા તમામ મુસાફરોને આ મહત્વપૂર્ણ બદલાવ અંગે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવે છે.


