જાહેર સ્થળોએ 10 થી વધુ લોકોના મેળાવડા માટે પૂર્વ પરવાનગી ફરજિયાત કરવાના સરકારી આદેશ પર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
RSS ને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જાહેર સ્થળોએ 10 થી વધુ લોકોના મેળાવડા માટે પૂર્વ પરવાનગી ફરજિયાત કરવાના સરકારી આદેશ પર હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. આ આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે હવે આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે અને સરકારને નોટિસ ફટકારી છે. હુબલી સ્થિત પુનશ્ચિત સેવા સંસ્થાએ અરજી દાખલ કરી હતી.