મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

સિકંદરાબાદ ડિવિઝન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ ડિવિઝનના મહેબુબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકના લીધે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે. 

સિકંદરાબાદ ડિવિઝન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

રદ કરાયેલી ટ્રેનો

1.     25 મે 2025 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નં. 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ રદ રહેશે.
2.    22 મે 2025 ના રોજ વિશાખાપટ્ટનમ થી ઉપડતી ટ્રેન નં. 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
3.    28 મે 2025 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ રહેશે.
4.    25 મે 2025 ના રોજ પુરી થી ઉપડતી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.

મહબૂબાબાદ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ રદ

1.     27 અને 28 મે, 2025 ની ટ્રેન નં. 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.
2.    25 મે થી 29 મે, 2025 સુધી ટ્રેન નં. 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેનોના રોકાણ, સમય અને શ્રેણી અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

fashion

સંબંધિત સમાચાર

travel