મુખ્ય સામગ્રી પર જાઓ

જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન

ધમધમતા ટ્રાફિકમાં અકસ્માતે નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તાઓ પરથી પશુઓને અન્ય ખસેડવાની માંગ ઉઠી.

જાફરાબાદ નવા બ્રિજ ઉપર રોડ રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ યમદૂત સમાન

જાફરાબાદ શહેરના બ્રિજ ઉપર તથા રોડ રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેઠેલા પશુઓ મોટું અકસ્માત સર્જાય તેવી રીતે રોડ રસ્તાઓ ઉપર બેઠેલા આખલાઓ શહેરમાં જન્માષ્ટમીનો તહેવાર અને પાંચ દિવસીય લોકમેળાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે ધમધમતા ટ્રાફિક માં અકસ્માતે પશુઓના અડિંગાથી નિર્દોષોનો ભોગ લેવાય તે પહેલાં રોડ રસ્તા નવા બ્રિજ ઉપરના પશુઓ ને દુર કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે.

શહેરના ઠેરઠેર રેઢિયાળ પશુઓનો અડિંગો હોવાનાં કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં હોય અને અવારનવાર અકસ્માતો થતા હોવાથી માંર્ગો ઉપરથી પશુઓનો ત્રાસ દૂર કરવો જરૂરી બન્યો છે. જાફરાબાદ શહેરના અનેક રોડ રસ્તાઓ પર પશુઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આખલા યુદ્ધમાં નિર્દોષ લોકો અડફેટે ચઢે છે. જેના કારણે સારવાર લેવાની લોકોને ફરજ પડી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પશુઓના અસહ્ય ત્રાસના કારણે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

હાલમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. જન્માષ્ટમીના લોકમેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જવાબદાર તંત્ર ઘોર બેદરકાર બન્યું હોય તેમ જન્માષ્ટમીના  તહેવાર ઉપર લોકોની સખ્ત મોટી સંખ્યામાં અવરજવર વધી હોવા છતાં પશુઓનો ત્રાસ દૂર કરવાની કાર્યવાહી હજુ સુધી કરાઇ નથી અને જન્માષ્ટમીના તહેવારમાં શહેરમાં રાત્રીના સમય દરમિયાન રસ્તાઓ પર પશુઓનો અડિંગો રહેશે તો વાહન ચાલકો માટે ખૂબજ વિકટ સ્થિતિનું નિર્માણ થશે આ તમામ બાબતોને ધ્યાને લેવામાં તંત્ર ઘોર બેદરકાર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી તંત્ર રેઢિયાળ પશુઓનો અડિંગો માર્ગો  પરથી હટાવવા નક્કર કાર્યવાહી કરતું નથી શહેરની નગરપાલિકાનું તંત્ર હોય કે નેશનલ હાઇ-વે ઓથોરિટીનું તંત્ર હોય રેઢિયાળ પશુઓના મુદ્દે નક્કર કાર્યવાહી કરતું નથી જવાબદાર તંત્ર બેલગામ બન્યું હોવાથી જાફરાબાદ વાસીઓ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર