અમદાવાદ / નર્મદા / ભરૂચ / વડોદરા / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં 20 જુલાઈના રોજ એક લાખથી વધારે લોકો સહી કરીને પોતાનો સમર્થન બતાવવાના હતા. કાર્યક્રમ માટે તમામ સમાજના લોકોનું ખૂબ જ સારું સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર કરી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં થોડો ફેરફાર છે કે 20 તારીખનો કાર્યક્રમ આપણે હવે 24 તારીખે કરવા જઈ રહ્યા છીએ. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને આ વિસ્તારના લોકોને અમારો સંદેશો છે કે આ કાર્યક્રમનો રૂટ જે છે તે જ રહેશે. ફક્ત તારીખ બદલીને શુક્રવાર, 24 જુલાઈ કરવામાં આવી છે. આપ સૌ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પધારો એ માટે તમામ આગેવાનોને અને લોકોને અમારું ભાવભર્યુ આમંત્રણ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત