મુખ્ય સામગ્રી પર જાઓ

30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.

30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 30 તારીખે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે યોજાનાર ખેડૂત મહાપંચાયતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોનું ધનોત પનોત કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે આ સમયે ખેડૂતોને સહાય આપવાના નામે તાઇફાઓ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અને સર્વેના નામે વારંવાર ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવે છે. આજે ખાતરની પણ ઉપલબ્ધિ કરવામાં આવતી નથી. પાકના ભાવ મળતા નથી, પાક વેચવા જોઈએ તો કડદા થાય છે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આમ આદમી પાર્ટીએ બોટાદમાં ખેડૂત આંદોલનની શરૂઆત કરી હતી. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક કરવાનું આંદોલન ચાલુ થયું છે. આ ન્યાયનું અને સન્માનનું આંદોલન છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂત મહાપંચાયતના ભાગરૂપે આમ આદમી પાર્ટી પહોંચી રહી છે. આવનારી 30 તારીખે રવિવારના રોજ સવારે 10 વાગ્યે બનાસકાંઠાની અંદર ડીસા પાલનપુર હાઇવે પર પ્રાઈમ હોટેલની સામે એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે. આ ખેડૂત મહાપંચાયતની અંદર ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે અને આપણે સાથે મળી આ લડાઈને મજબૂત કરીએ એના માટે આપ સૌને આમંત્રણ છે. આવો સૌ સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ લડીએ.

સંબંધિત સમાચાર