રાજપીપલા: નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે તા.૧૫/૦૨/૨૦૨૬ થી તા.૧૯/૦૨/૨૦૨૬ દરમિયાન દેવમોગરા માતાનો મેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં જનમેદની આવતી હોય છે.
આ મેળામાં લોકો તથા વેપારીઓ ઘાસ, કામળા, વાંસ વગેરેના માંડવા તૈયાર કરતા હોય છે. જેથી આગ લાગવાના બનાવો ન બને તે માટે ઉક્ત દિવસો દરમ્યાન દેવમોગરા ગામના મેળાના હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા પર, કોઈપણ ઘાસ અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર તથા અગ્નિ સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે યોજાનાર મેળાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૦૨/૨૦૨૬ થી
તા.૧૬/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


