વડાપ્રધાન મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ આજે તેમની મુલાકાત દરમિયાન સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે 100 કરોડથી વધુના ખર્ચે 12 એકર જમીન પર બનાવવામાં આવનાર આ વિશાળ સ્મારકમાં મ્યુઝિયમ લાઇબ્રેરી સાથેના હોલ સહિત અનેક સ્ટ્રક્ચર્સ હશે. આ સિવાય પીએમ મોદીએ મધ્યપ્રદેશને 4000 કરોડની વિકાસ યોજનાઓ ભેટમાં આપી.