ગુજરાત
4064 लेख
અમદાવાદ મંડળ પર "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મિશન લાઇફ અંતર્ગત અમદાવાદ મંડળ પર 02 જૂનથી 05 જૂન 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા ૨૦૦ માછીમારોનું વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત
ગિર સોમનાથ જિલ્લાના ૧૨૯, દેવભૂમિ દ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫ અને પોરબંદરના ૪ માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ
વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું
જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે
“મિશન લાઈફ સ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ”ને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામસભા યોજાઈ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સમાંતર યોજાયેલી ગ્રામસભા બાદ ઠેર ઠેર પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ અને ગામલોકોએ વૃક્ષારોપણ કરી નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે કરેલો સંકલ્પ
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ પછી, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો થયો
ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટનની સામે એપ્રિલ 2023 માં CO2 ઉત્સર્જનમાં 26.74 મિલિયન ટન ઘટાડો થયો કાર્બનનું ઉત્સર્જન ઘટે તેના માટે ગુજરાતના ડીકાર્બનાઇઝેશન સેલ દ્વારા વિસ્તૃત રૂપરેખા બનાવવામાં આવી રહી છે
અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
મેટ્રો, BRTS, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અમદાવાદને ભેટ, ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ, રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિના સંકલ્પ સાથે કાર્યરત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ, સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ
“વિશ્વ પર્યાવરણ દિવસ”ની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી જિલ્લાકક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
પર્યાવરણના રક્ષણ માટેની સૌએ પ્રતિજ્ઞા લિધી : વડીયા પેલેસ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, બાદમાં પર્યાવરણ જાગૃતિ સંદેશ માટે સાયકલ રેલી યોજાઈ
ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં 'પર્યટન પર્વ'માં રસતરબોળ થયા ગીરસોમનાથના શહેરીજનો
ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વનું આયોજન થયું હતું. જેમાં શહેરીજનો અનેકવિધ ભાતીગળ વારસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસતરબોળ થયા હતાં.
“મિશન લાઇફ” અંતર્ગત આણંદ જિલ્લામાં યોજાયા પર્યાવરણ જાગૃતિનાં અનેકવિધ કાર્યક્રમ
પર્યાવરણ આધારિત જીવનશૈલી અપનાવી વડાપ્રધાનશ્રીની “મિશન લાઇફ” મુહિમના વાહક બનીએ
નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો પર બાળકોને સાથે રાખી કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન”ની ઉજવણી પર્વે આંગણવાડીના કેન્દ્રો પર વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના પગલે નર્મદા જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડીઓમાં આ કાર્ય કરવામાં આવ્યું હતું.
વૃક્ષ, ઔષધિ અને રંગબેરંગી ફૂલ, હરિયાળી બની આ સરકારી સ્કૂલ
ગીર સોમનાથમાં મૂળ દ્વારકાની સરકારી ગ્રીન સ્કૂલમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળે છે હરિત શિક્ષણ, જાસૂદ-કરેણ જેવા ફૂલ, અરડૂસી, એલોવેરા જેવી વિવિધ ઔષધિ અને અશોકવૃક્ષ, બૉટલપામ જેવા વૃક્ષોથી હરીભરી બની સરકારી શાળા
પાણીની અછત ધરાવતા વિસ્તારોની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે અરજીઓ મંગાવાઈ
ખેડૂતોએ મહત્તમ સાઇઝ ૪૦ x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઉંડાઇની ખેત તલાવડી સ્વખર્ચે કરવાની રહેશે,રસ ધરાવતા ખેડૂતોએ g-talavadi.gujarat.gov.in પર તા.૦૫/૦૬/૨૦૨૩થી તા.૨૬/૦૬/૨૦૨૩ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજીથી માંડીને ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી કરાશે
વડોદરાના ૭૪ વર્ષીય સાઇકલિંગના શોખીને જુદા જુદા પ્રકારની ૮ સાયકલ બનાવી
દર રવિવારે સાયકલિંગ ક્લબ ખાતે સવારે ૩૦ થી ૪૦ સાયકલપ્રેમીઓ એકઠા થઇ આ અનોખી સાયકલસવારીનો આનંદ માણે છે, પોતાની સાયકલ જરૂરિયાત મુજબ નાગરિકોને વિનામૂલ્યે આપે છે
દરરોજ સાયકલ ચલાવતા સુનિલ પટેલે સાયકલિંગમાં ૯ સહિત ૧૩ એવોર્ડથી વડોદરાનું ગૌરવ વધાર્યું
પર્યાવરણ સુરક્ષા અને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશો એમનો મુખ્ય આશય,સુનિલ પટેલને ગ્લોબલ શિક્ષક પુરસ્કાર પણ એનાયત થયો છે
સૌર ઊર્જા રૂફટોપ થકી વિજળી ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમે અને ગુજરાતમાં વડોદરા અગ્રેસર
સમગ્ર બ્રહ્માંડની ઊર્જાના મુખ્ય સ્ત્રોત મનાતા સૂરજ દાદા થકી મળતા કિરણોને પુનઃ પ્રાપ્ય ઊર્જામાં પરિવર્તિત કરી પર્યાવરણની સુરક્ષા કરવામાં સમગ્ર ગુજરાતનું નેતૃત્વ વડોદરા કરી રહ્યું છે.
નર્મદા આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય માટે સાયકલના ઉપયોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો આપ્યો જાગૃતિ સંદેશ
સવાર-સાંજની રસ્તા પર સાયકલ સવારી સ્વાસ્થ્યની સાયકલ સવારી સાબિત થાય છે. સાયકલિંગના કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની તો જાળવણી થાય જ છે. સાથે પેટ્રોલ-ડીઝલની પણ બચત થાય છે. સ્વાસ્થ્યની જાળવણીમાં માનવી પોતાની ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર હ્રદયની લાગણી વ્યક્ત કરી
ઓડિશાના દુ:ખદ ટ્રેન દુર્ઘટના અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા વ્યક્ત કરાયેલ હૃદયપૂર્વકની શોક અંગેના નવીનતમ અપડેટ્સ વાંચો. ઘટના, અન્ય મુખ્યમંત્રીઓની પ્રતિક્રિયા અને હાલના મૃત્યુઆંક વિશે વિગતવાર માહિતી મેળવો.
જીટીયુ દ્વારા નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ
વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત રહીને વિવિધ લલિતકલાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે
દિલ્હી હાઈકોર્ટે ગુજરાત એફએસએલને 2020ના રમખાણોના કેસમાં ડીવીઆર અને વોઈસ સેમ્પલ પર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો
દિલ્હી હાઈકોર્ટે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSLs) ને 2020ના દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) અને વૉઇસ સેમ્પલ પર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. આ લેખ કોર્ટના નિર્દેશ, અહેવાલો પ્રાપ્ત કરવામાં વિલંબ અને આગામી સુનાવણીની ચર્ચા કરે છે.