પોલિટિક્સ
1110 लेख
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"
AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન
NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) ના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે
આમ આદમી પાર્ટી પંજાબના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે
આમ આદમી પાર્ટી પંજાબના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા યથાવત રાખી
ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. નવો નિર્ણય લેવા સૂચના. વધુ વિગત માટે ક્લિક કરો.
આંધ્રપ્રદેશ બનશે ગોલ્ડ હબ: સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી જાહેરાત
સીએમ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને સોનાના ઉત્પાદનમાં અગ્રેસર બનાવવાની જાહેરાત કરી છે. કુર્નૂલની જોનાગીરી ગોલ્ડ માઈન જૂન 2026 થી શરૂ થશે. વધુ વિગતો વાંચો.
TN CM Vijay ની પીએમ મોદીને અપીલ: કપાસ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવો
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ટેક્સટાઇલ સેક્ટરની કટોકટીને પગલે પીએમ મોદીને પત્ર લખી કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા વિનંતી કરી છે. વધુ વિગતો અહીં વાંચો.
રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ
રાજકોટમાં NEET પરીક્ષા રદ થવાના અને પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP અને યુથ વિંગ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરી અને પ્રતીકાત્મક રીતે 'જાલમૂરી' વહેંચીને સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.
૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ NEET પેપર લીક મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ખેલ બદલ તેમણે 'બુલડોઝર એક્શન' અને કડક સજાની માંગણી કરી છે.
હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત
હીરાની દાણચોરી કરતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. શરીરમાં છુપાવેલા 5.70 કરોડના હીરા જપ્ત કરાયા છે. વધુ વિગત માટે ક્લિક કરો.
હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર
હરિયાણામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી અને સીએમ સૈનીએ આ જીતને 'ડબલ એન્જિન સરકાર' પર જનતાનો ભરોસો ગણાવ્યો છે.
રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો
રોબર્ટ વાડ્રાએ શિકોહપુર લેન્ડ ડીલ મની લોન્ડરિંગ કેસમાં ED ના સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.
નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને PPP મોડ હેઠળ તેના સંચાલન માટે GMR ને લીઝ આપવાની મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન પોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવાયો. વધુ વિગત માટે ક્લિક કરો.
અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.
NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી
આમ આદમી પાર્ટીના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ NEET પેપર લીક મામલે સરકાર, ભ્રષ્ટ પોલીસ અને માફિયાઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પેપર લીક એ આ લોકો માટે હજારો કરોડોનો વ્યવસાય બની ગયો છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે.
ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"
આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ બદલ NTA ને "નોટ ટ્રસ્ટેબલ એજન્સી" ગણાવી છે. તેમણે ૨૦૨૪ ના ડેટા ટાંકીને જણાવ્યું કે NTA ની ૧૪ માંથી ૫ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, જે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. ડો. બારોટે ગંભીર આક્ષેપ કર્યો છે કે પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન છે.
"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ
AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો સંદેશ દ્વારા NEET પેપર લીક અને પરીક્ષા રદ થવાના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ૨૩ લાખ વિદ્યાર્થીઓની બે વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જે દેશ માટે શર્મજનક છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં થયેલા ૨૧ પેપર લીકની મોડસ ઓપરેન્ડી હવે કેન્દ્રમાં પણ જોવા મળી રહી છે.
ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી
આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ NEET પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક થયા છે, જેના કારણે ભાજપ હવે "પેપર ફોડ પાર્ટી" તરીકે ઓળખાઈ રહી છે.