ગુજરાત
3501 लेख
અમદાવાદ મંડળમાં આરપીએફની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત
પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ના અધિકારી અને જવાન યાત્રીઓના જીવન, સન્માન અને સંપત્તિની સુરક્ષા માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ રહે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ ટ્રેન: હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું
સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ–GIHEDના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ- GIHED (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 જાન્યુઆરી 2026થી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગગનભેદી શંખનાદ અને ડમરુના નાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો.
સોમનાથ સ્વાભિમાન પર્વ: PM મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારોની શૌર્ય યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે.
રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો
આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો. યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી.
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8થી 11 જાન્યુઆરી 2026 સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. આ પર્વ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનર્નિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહાન પ્રયાસ છે.
સોમનાથ: વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા – ગઝનવીના આક્રમણથી PM મોદીના આધુનિક વિઝન સુધી
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મંદિર ભારતીય આસ્થા અને સંસ્કૃતિનું અમર પ્રતીક છે. સદીઓના વિનાશ પછી પણ તેનું પુનર્નિર્માણ ભારતીય શ્રદ્ધા અને અડગતાની ગાથા છે.
જૂનાગઢમાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા સાવધાન! પોલીસને જાણ કરવી ફરજિયાત, ભંગ કરનારને થશે જેલ
જૂનાગઢ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. મકાન, દુકાન કે ગોડાઉન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી હવે અનિવાર્ય છે.
કચરામાંથી કંચન: માળીયા હાટીનાની ગૌશાળા ખેડૂતો માટે બની 'ગોલ્ડ માઈન', આવક રૂ. ૨ લાખથી વધીને ૧૦ લાખે પહોંચી!
જૂનાગઢના કુકસવાડા ગામની ગૌશાળાએ BRC યોજના હેઠળ ઘન જીવામૃત પ્લાન્ટ સ્થાપીને ખેતીમાં ક્રાંતિ લાવી છે. રૂ. ૨ નું ખાતર હવે ૧૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.
ડાંગી નૃત્યનો રાજ્ય કક્ષાએ દબદબો: કલા મહાકુંભ 2025-26માં પ્રગતિ યુવક મંડળે મેળવ્યો તૃતીય ક્રમ
ગાંધીનગર ખાતે આયોજિત કલા મહાકુંભ 2025-26માં ડાંગના પ્રગતિ યુવક મંડળે રાજ્ય કક્ષાએ તૃતીય ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ડાંગની દીકરીનો BCCIમાં દબદબો: ૧૩ વર્ષની ફ્રેની ચૌધરીની અંડર-15 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી
ડાંગના ચીરાપાડાની ૧૩ વર્ષની દીકરી ફ્રેની ચૌધરીએ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. BCCI અંડર-15 મહિલા ટીમમાં પસંદગી પામનાર તે ડાંગની પ્રથમ આદિવાસી દીકરી બની.
ગરૂડેશ્વર પોલીસે પીછો કરતા બુટલેગર રૂ. 2.64 લાખનો દારૂ ફેંકી ફરાર: સોનગામ ચેક પોસ્ટ પાસેની ઘટના
ગરૂડેશ્વર પોલીસે સોનગામ ચેક પોસ્ટ પાસે નાકાબંધી દરમિયાન નસવાડીના બુટલેગરનો પીછો કર્યો. આરોપી 2.64 લાખનો દારૂ રસ્તા પર ફેંકી અંધારામાં નાસી છૂટ્યો.
ચાણસ્મામાં ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહલગ્નનો થનગનાટ: દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી
ચાણસ્મામાં ૨૨ ફેબ્રુઆરીએ સંતોષ ગૌશાળા ખાતે ક્ષત્રિય સમાજના સમૂહલગ્ન યોજાશે. મંડપ ડેકોરેશનના ખર્ચ માટે અમદાવાદના દાતા પ્રકાશસિંહ ઠાકોરે જાહેરાત કરી.
જૂનાગઢ: મિઠાપુર ગામે NSS શિબિરનો પ્રારંભ, કુલપતિએ કહ્યું- 'સેવા અને રાષ્ટ્રભાવના જ શિબિરનું હાર્દ'
મેંદરડાના મિઠાપુર ગામે જે.જે.સી.ઇ.ટી. કોલેજની 7 દિવસીય NSS શિબિર શરૂ. કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્ર સેવાનો સંદેશ આપ્યો.
રાજુલામાં બ્રહ્મ તેજ ઝળક્યું: ૪૦ તેજસ્વી તારલાઓનું સન્માન અને કવિ શશિભાઈનું ગૌરવગાન
રાજુલાના ગાંધી મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજના ૪૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. કવિ 'હેમાળવી' અને ખેલાડી કૃણાલ અધ્વર્યુનું પણ વિશેષ બહુમાન.
રાજુલામાં ભક્તિનો મહાકુંભ: BAPS મંદિરે ભવ્ય શાકોત્સવ, 2000 ભક્તોએ લીધો મહાપ્રસાદ
રાજુલા ડુંગર રોડ સ્થિત BAPS મંદિરે અક્ષરનયન સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં શાકોત્સવ યોજાયો. ૨૦૦૦ થી વધુ હરિભક્તોએ દેશી પરંપરાગત ભોજનનો આનંદ માણ્યો.
વન વિભાગની લાલિયાવાડી: રાજુલાના લોકોએ વહીવટી કામ માટે ખાવા પડે છે ૧૫૦ કિમીના ધક્કા!
રાજુલા અને જાફરાબાદમાં વન વિભાગનો વહીવટ કથળ્યો છે. ૧૫૦ કિમી દૂર પાલિતાણા ધક્કા ખાવા પડતા લોકોમાં રોષ, એનિમલ કેર સેન્ટર પણ ધૂળ ખાય છે.
નખત્રાણાના જાંબાઝ PI મકવાણાનું સન્માન: ૩૦ લાખની લૂંટ ઉકેલવા બદલ ચેમ્બર ઓફ કોમર્સ ગદગદ
નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પીઆઈ એ.એમ. મકવાણાનું સન્માન કરાયું. ૩૦ લાખની સોનીની લૂંટ અને ઓપરેશન સિંદૂરમાં નોંધપાત્ર કામગીરીને બિરદાવવામાં આવી.
બગસરાના કવિ સ્નેહી પરમાર બન્યા 'ડોક્ટર': ગુજરાતી બાળ સાહિત્યમાં મેળવી PHDની પદવી
બગસરાના જાણીતા કવિ સ્નેહી પરમારે 'ગુજરાતી બાળ કવિતાની ભાષા પલ' વિષય પર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી PHD પદવી પ્રાપ્ત કરી છે.