ઇન્ડિયા
11578 लेख
તમિલનાડુ ચૂંટણી ૨૦૨૬: વિજયની TVK પાર્ટીમાં ઉમેદવારોના ઈન્ટરવ્યુનો બીજો તબક્કો સંપન્ન
તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) ના વડા વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુનો બીજો તબક્કો પૂર્ણ કર્યો છે. અત્યાર સુધીમાં ૧૧૦ બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.
દિલ્હીથી મુર્શિદાબાદ સુધી તપાસનો ધમધમાટ: જયંત ચૌધરીને ધમકી મળતા પોલીસ હરકતમાં
કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને RLD ના વડા જયંત ચૌધરીને 18 માર્ચ 2026 ના રોજ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના 'ઇસ્માઇલ' તરીકે ઓળખાતા વ્યક્તિએ મંત્રીના પીએ વિશ્વેન્દ્ર શાહને ફોન અને વોટ્સએપ દ્વારા ધમકી આપી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ધમકી આપનાર પાસે મંત્રીના સત્તાવાર પ્રવાસ કાર્યક્રમની નકલ હોવાનો પણ દાવો કરાયો છે.
જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
Defence News: શું ભારતની સૈન્ય શક્તિમાં 'નોન-કાઇનેટિક' અને 'હાઇબ્રિડ' ક્ષમતાઓનો થશે ઉમેરો?
બદલાતા યુદ્ધના મેદાન માટે ભારત તૈયાર: સંસદીય પેનલે સંરક્ષણ મંત્રાલયને 'હાઇબ્રિડ' અને 'નોન-કાઇનેટિક' ક્ષમતાઓ વધારવા કરી ભલામણ નવી દિલ્હી [ભારત...
ખેડૂતો અને ઉદ્યોગો માટે મોટી જાહેરાત: 100 ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને સ્મોલ હાઇડ્રો પાવર સ્કીમ
વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.
ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય
મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં મોટો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મંગળવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.
આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર 'ઉત્તરવાહિની': રામપુરાથી શહેરાવ સુધીના પવિત્ર પ્રવાહની મહત્તા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી 19 માર્ચથી 17 એપ્રિલ 2026 દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આશરે 14 કિલોમીટર લાંબી આ પરિક્રમાનું મહત્વ એટલું છે કે તેને કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું ફળ મળે છે. અહીં રામપુરા ખાતે મહાભારતકાળની પાંડવ ગુફા આવેલી છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી.
વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો
ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને પત્રકારો માટે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ અને ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિથી તપાસ કરવામાં આવી હતી.
રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ: CJI એ આપ્યા ક્રાંતિકારી સૂચનો
CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.
Nita Ambani Odisha Visit: ભુવનેશ્વરમાં નીતા અંબાણીનું સન્માન
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને ભુવનેશ્વરમાં પ્રતિષ્ઠિત KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025 એનાયત કરાયો. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ.
Lok Sabha Update: ઓમ બિરલાની બેઠક બાદ સાંસદોના સસ્પેન્શન પર મોટો નિર્ણય
લોકસભા સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 8 વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન રદ કરવા પર સર્વસંમતિ સધાઈ છે. જાણો સંસદના નવા નિયમો અને વિગતો.
અન્નપૂર્તિ ગ્રેઈન ATM અને ડિજિટલ ફૂડ કૂપન: ગુજરાતમાં અનાજ વિતરણ હાઈટેક
ગુજરાત બજેટ 2026-27માં અન્ન સુરક્ષા માટે ₹2,856 કરોડની જોગવાઈ. ગ્રેઈન ATM, CBDC ડિજિટલ કૂપન અને મિલેટ્સ બોનસ જેવી નવી યોજનાઓ જાહેર. સંપૂર્ણ વિગત માટે અહીં વાંચો.
મોના ખંધારની સ્પષ્ટતા: LPG ગ્રાહકો માટે PNG કન્વર્ઝન અને હેલ્પલાઇન
ગુજરાતમાં ઘરેલુ LPG સિલિન્ડર અને PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સપ્લાય અને હેલ્પલાઇન અંગે કરી મહત્વની જાહેરાત. વિગતો માટે વાંચો.
રમજાનમાં ઇન્સાનિયતનો રોજો: મુસ્લિમ પરિવારે કર્યું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રમજાન માસ દરમિયાન મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની ઉમદા પહેલ. 14 કલાકમાં 2 અંગદાન દ્વારા 6 લોકો બચ્યા. માનવતાનો સંદેશ વાંચવા ક્લિક કરો.
SDAU 21મો પદવીદાન સમારોહ: 36 તેજસ્વીઓને 39 ગોલ્ડ મેડલ એનાયત
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 21માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 510 વિદ્યાર્થીઓને પદવી આપી. પ્રાકૃતિક ખેતી પર મૂક્યો ભાર.
હિમાચલના કુફરીમાં વાતાવરણ પલટાયું: કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી
હિમાચલ પ્રદેશના કુફરીમાં રવિવારે અચાનક વરસાદ અને કરા પડતા તાપમાનમાં ઘટાડો થયો છે. મેદાની વિસ્તારોની ગરમીથી બચવા આવેલા પ્રવાસીઓ માટે આ કુદરતી ભેટ સાબિત થઈ છે.