ઇન્ડિયા
12461 लेख
રાજકારણ વધુ આક્રમક: પશ્ચિમ બંગાળમાં પક્ષપલટાની રાજનીતિ તેજ, ભાજપે રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો લાવતી આ ઘટનામાં, તૃણમૂલ કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આ ત્રણેય નેતાઓએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યાના થોડા જ સમયમાં ભાજપે તેમને રાજ્યસભાની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરીને મોટું રાજકીય દાવ ખેલ્યું છે.
ડાંગમાં ડિજિટલ કનેક્ટિવિટી: 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ૫૭ ટાવર કાર્યરત, ડેટા વપરાશમાં ડાંગ અવ્વલ
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં અને DoT ગુજરાત LSAના અધિક મહાનિર્દેશક શ્રી આશિષ ઠાકરની ઉપસ્થિતિમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ઉનાવા-ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા: ૨૬ ટન ભેળસેળયુક્ત વરિયાળી ઝડપાઈ
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે. જેના ભાગરૂપે, મહેસાણાના ઉનાવા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડ દ્વારા દરોડા પાડીને કેમિકલ કલરવાળી ૨૬ ટન વરિયાળીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
કચ્છના નલિયામાં ગૌરવવંતી સિદ્ધિ: ઘોરાડ પક્ષીના બચ્ચાએ ૪૦ દિવસનો મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો
કચ્છના નલિયામાં વન વિભાગ અને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસોથી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલા અતિ દુર્લભ ઘોરાડ પક્ષીના બચ્ચાએ તેના જીવનના શરૂઆતના ૪૦ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જે આ પ્રજાતિના સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
વડોદરા મંડળનું 'Passenger First' અભિયાન, ભારે વરસાદ દરમિયાન મુસાફરોને પહોંચાડી સંભવ તમામ સહાય
ભારે વરસાદને કારણે મુંબઈ મંડળમાં રેલ વ્યવહાર પ્રભાવિત થતા, વડોદરા મંડળના અંકલેશ્વર અને ભરૂચ સ્ટેશન પર હજારો મુસાફરો માટે તાત્કાલિક રાહત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેના નેતૃત્વમાં રેલવેની વિવિધ ટીમોએ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.
બેચરાજી-રણુજ રેલ લાઇન: CRS દ્વારા સુરક્ષા નિરીક્ષણ શરૂ, ટૂંક સમયમાં મુસાફર ટ્રેનો દોડવાની આશા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના કટોસણ રોડ–રણુજ રેલખંડ પર પેસેન્જર ટ્રેનો દોડાવવાની લાંબા સમયની માંગ હવે પૂર્ણ થવાની દિશામાં છે. રેલવે સંરક્ષા આયુક્ત (CRS) દ્વારા આ રૂટનું ત્રણ દિવસીય સઘન સુરક્ષા નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
સુરત પૂર સ્થિતિ: લિંબાયત, ડિંડોલી અને સારોલીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
સુરત શહેરમાં થયેલા ભારે વરસાદને પગલે લિંબાયત, ડિંડોલી અને સારોલી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નાગરિકોની મુશ્કેલીઓ જાણી હતી.
અમદાવાદ: ખેતી બૅંકના ૭૫મા સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ખેડૂતોના કલ્યાણ પર ભાર
અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ખેતી બૅંકના ૭૫મા સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે ખેડૂતોના કલ્યાણ અને સહકારી ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
બેંક ઓફ બરોડાનું સામાજિક દાયિત્વ: MGVCL ના કર્મચારીના પરિવારને ₹1.25 કરોડની વીમા સહાય
રાજપીપળા ખાતે એક સરાહનીય કિસ્સામાં, બેંક ઓફ બરોડાએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ની સહાયક કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના એક કર્મચારીના પરિવારને તેમના 'સેલેરી પેકેજ' અંતર્ગત ₹1.25 કરોડનો અકસ્માત વીમા દાવો ચૂકવીને આર્થિક સુરક્ષા પૂરી પાડી છે.
વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬-૨૯ જાહેર: ગુજરાત બનશે દેશનું નવું ડિજિટલ હબ
ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર હબ તરીકે પ્રસ્થાપિત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી ૨૦૨૬-૨૯' જાહેર કરવામાં આવી છે. આ નીતિ દ્વારા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ ઇકોનોમીને નવી ગતિ મળશે.
નર્મદામાં RTEનો સફળ અમલ: 44 ખાનગી શાળાઓમાં 267 બાળકો મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત શિક્ષણ
નર્મદા જિલ્લામાં RTE-2009 કાયદાના અસરકારક અમલીકરણ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ખાનગી શાળાના દ્વાર ખૂલ્યા છે. ચાલુ વર્ષે (2026-27) જિલ્લાની 44 ખાનગી શાળાઓમાં કુલ 267 બાળકો ધોરણ-1 માં પ્રવેશ મેળવી શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.
માત્ર એક SMS કે કૉલથી મળશે રોપા: ગુજરાત સરકારનું પર્યાવરણ સંરક્ષણ તરફ મોટું ડગલું
રાજ્યમાં વૃક્ષારોપણના અભિયાનને વેગ આપવા અને નાગરિકોને સરળતાથી રોપા ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત વન વિભાગે એક નવી ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ કાર્યરત કરી છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે ૧૧.૮૦ કરોડ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે, જેનું વિતરણ નાગરિકોને કરવામાં આવશે.
નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો: પવન અને સૌર ઊર્જામાં દેશમાં ટોચનું સ્થાન
વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ' પર જાહેર થયેલા આંકડા મુજબ, ગુજરાત નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરી રહ્યું છે. દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 17.82% છે, જે રાજ્યની મજબૂત ઊર્જા નીતિઓનું પરિણામ છે.
અમદાવાદમાં નવનિર્મિત RTO કચેરીનું લોકાર્પણ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત કામો થશે વધુ ઝડપી
અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કચેરીને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
ગુજરાતના ખેડૂતો માટે ડિજિટલ સુરક્ષા કવચ: રાજ્ય સરકારે બનાવી 'વિભાગીય ડેટા સમિતિ'
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત સરકારે ખેડૂતોની અંગત અને નાણાકીય માહિતીને સાયબર જોખમોથી બચાવવા માટે એક નવી 'વિભાગીય ડેટા સમિતિ' (Divisional Data Committee - DDC) ની સ્થાપના કરી છે. આ પહેલ કેન્દ્ર સરકારના 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' (DPDP Act) અને 'ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક'ના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ માટે ઐતિહાસિક ક્ષણ: આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક 'રોબોટિક ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ' સુવિધાનો ભવ્ય પ્રારંભ
જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે સોરાષ્ટ્રના દર્દીઓ માટે રોબોટિક સર્જરી સિસ્ટમનું અનાવરણ. હવે ગોઠણના સાંધા બદલવા અમદાવાદ-મુંબઈ જવાની જરૂર નથી.
માસૂમ બાળક માટે 'RBSK' યોજના આશીર્વાદરૂપ બની: કેશોદના ૩ વર્ષના ભાગ્યવીરની અમદાવાદ સિવિલમાં હૃદયની સફળ સર્જરી
કેશોદના માનેકવાડા ગામના ૩ વર્ષીય બાળક ભાગ્યવીર ગઢવીની હૃદયની જન્મજાત ખામી RBSK યોજના હેઠળ દુર કરાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સફળ ઓપરેશન.
રાજુલામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: છતડિયા રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સદસ્ય ભરતભાઈ જાનીની ધારાસભ્યને કડક રજૂઆત
રાજુલા વોર્ડ નં. ૬ ના સભ્ય ભરતભાઈ જાનીએ છતડિયા રોડના બિસ્માર કામ અને ભ્રષ્ટાચાર અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી તાકીદે પગલાં લેવા માંગ કરી.
અમરેલી જિલ્લામાં મેઘમહેર કે મેઘકહેેર? બે મુખ્ય ડેમ ૧૦૦% ઓવરફ્લો, ૬ જળાશયોના દરવાજા ખોલાતાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ધાતરવડી-૧ અને સુખભાદર ડેમ ૧૦૦% ઓવરફ્લો. ૬ ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે, નીચાણવાળા ગામો એલર્ટ.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક યુગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે સંભાળ્યું કુલપતિ પદ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે ચાર્જ લીધો. હિમાચલ પ્રદેશની યુનિ.માં કુલપતિ તરીકે આપી ચૂક્યા છે સેવા.