ગુજરાત
4130 लेख
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા શાળામાં કીટ વિતરણ
શ્રી જુનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા વણઝારી પ્રાથમિક સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કુલબેગ, કલરકીટ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.
જૂનાગઢ ગિરનાર પર્વત પર સિંહ ૧૨ વર્ષના બાળકને ઉઠાવી ગયો
જૂનાગઢ ગિરનાર પર્વત પર વહેલી સવારે સિંહે ૫૦મા પગથિયાં પાસેથી ૧૨ વર્ષના બાળકને જંગલમાં ખેંચી લીધો. વન વિભાગને શોધખોળ દરમિયાન બાળકના અવશેષો મળ્યા.
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે યોજાયો અન્નકૂટ
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ હનુમાનજી દાદાને કેરી, કેળાં અને તરબૂચ સહિત વિવિધ ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાયો.
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પનું આયોજન
જુનાગઢ મહાનગરપાલિકા અને ALIMCO ના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ દિવ્યાંગો માટે સાધન સહાય અને UDID કાર્ડ અંગેનો વિશેષ કેમ્પ યોજાશે.
આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે શાળાના બાળકોની તપાસ કરાઈ
આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે પ્રાથમિક શાળાના બાળકો માટે વિશેષ હેલ્થ ચેકઅપ અને TiD રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વાસ્થ્ય તપાસ હાથ ધરવામાં આવી.
શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા માં સેવા અને સંસ્કારનો સંગમ
ડાંગના શિવાશ્રય તેજસ્વીની છાત્રાલય વાસુરણા ખાતે અનાવિલ સૈયરસખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 50 દીકરીઓને જીવન જરૂરિયાતની સામગ્રી અને રોકડ દાન અપાયું.
નીરોણા ગામની શાળાના બાળકો માટે 108 એમ્બ્યુલન્સ જાગૃતિ કાર્યક્રમ
નીરોણા ગામની કુમાર અને કન્યા શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને પ્રાથમિક સારવાર અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
હાર્દિક ગઢવી નખત્રાણા ટીડીઓ એ લોકસાહિત્યકારની મુલાકાત લીધી
નખત્રાણા ટીડીઓ Hardik Gadhvi એ જાણીતા લોકસાહિત્યકાર રાજેશ ગઢવીની દેવપર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચ્છી સંસ્કૃતિનું સન્માન કરાયું હતું.
કચ્છ ના ખીરસરા ગામે સારા વરસાદ માટે નમાઝે ઈસ્તિસ્કા અદા કરાઈ
કચ્છ ના અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામે શુક્રવારે નમાઝે ઈસ્તિસ્કા પઢીને સમગ્ર પંથકમાં સારા વરસાદ અને ખેડૂતોની ખુશહાલી માટે સામૂહિક દુઆ કરાઈ.
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નગરપાલિકાના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લઈને આપત્તિ વ્યવસ્થાપનનું વ્યવહારુ જ્ઞાન મેળવ્યું.
રેલ્વે પરિવાર માટે સ્વાસ્થ્ય સુવિધા: વડોદરામાં ફાઈબ્રોસ્કેન કેમ્પનું સફળ આયોજન
પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ દ્વારા રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે પ્રતાપનગર સ્થિત મંડળ રેલ્વે ચિકિત્સાલયમાં એક વિશેષ 'લીવર સ્ક્રીનિંગ કેમ્પ' યોજવામાં આવ્યો હતો.
સુરત પૂર રાહત: ગોડાદરામાં અસરગ્રસ્ત પરિવારોને મળી આર્થિક સહાય, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વિતરણ
સુરતના ગોડાદરા વિસ્તારમાં પૂરને કારણે નુકસાન વેઠનારા પરિવારોને ત્વરિત આર્થિક સહાય મળી રહે તે હેતુથી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના નાણા મંત્રી તથા સુરત જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈના હસ્તે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભૂસ્ખલનના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા
મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે દક્ષિણ પૂર્વ રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઠાકુરવાડી–મંકી હિલ રેલવે સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલનના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના પરિણામે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન સંબંધિત નીચે મુજબની ટ્રેનોના રૂટ બદલવામાં (ડાયવર્ટ) આવ્યા છે.
૭૦ વર્ષની ઉંમરે સાહિત્યિક નવી સફર: વર્ષા સી. જોશીની ૫ નવલકથાઓનું વિમોચન
અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના ચેરમેન શ્રી ભાગ્યેશ ઝાના હસ્તે સુશ્રી વર્ષા સી. જોશી 'અશ્ક' ની પાંચ નવલકથાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્ય જગતના અનેક દિગ્ગજો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ
રાજ્ય સરકારના શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ કાર્યરત છે. આ અભિયાન હેઠળ બનાસકાંઠાના તેનીવાડા ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
ગિફ્ટ સિટીમાં ભરતીનો મેળો: ટેક મહિન્દ્રામાં ૪૫ યુવાનોને મળી રોજગારીની તક
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવેલી ટેક મહિન્દ્રા કંપની ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સફળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવાનો અને ઉદ્યોગો સાથે સીધો સંપર્ક કરાવવાનો હતો.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૭ હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ
રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨૩ જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓના ૭,૨૧૧થી વધુ તાલીમાર્થીઓ સહભાગી થયા હતા.
ગાંધીનગર બનશે હરિયાળું: અમિત શાહના પ્રોજેક્ટ હેઠળ સવા કરોડ વૃક્ષો વાવવાની મહાઝુંબેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ કરવાનો જ નહીં, પરંતુ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનોને સુધારીને ત્યાં એક સમૃદ્ધ અને ધબકતી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.
બેચરાજી ભક્તો માટે ખુશખબર: કટોસણ રોડ-બેચરાજી રેલવે વિભાગ પર ૧૨૦ કિમીની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળના કટોસણ રોડ-બેચરાજી-રાનુજ (૬૩ કિમી) બ્રોડગેજ વિભાગનું ત્રણ દિવસીય સફળ સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયું છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી (વેસ્ટર્ન સર્કલ) દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં ટ્રેક, સિગ્નલિંગ, પુલ અને અન્ય તમામ સલામતી ધોરણોને ચકાસવામાં આવ્યા હતા.
લોકશાહીની ચોથી જાગીર પર ત્રાટકતા સરકારી બાબુ: લિમખેડામાં ભ્રષ્ટાચારના સવાલ પર RFO ઋષિત કુમારે પત્રકારનો મોબાઈલ તોડવાની ધમકી આપી
દાહોદના લિમખેડા વન વિભાગમાં કરોડોના ભ્રષ્ટાચાર અંગે સવાલ પૂછવા ગયેલા પત્રકાર રાવળ અભેસિંગ સાથે RFO ઋષિત કુમારે કર્યું અભદ્ર વર્તન. પોલીસ ફરિયાદ દાખલ.