આપ ન્યૂઝ
453 लेख
સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ
આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં
પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.
અરવિંદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર: ફાંસી ઘરને ટિફિન રૂમ કહેવો એ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન
દિલ્હી વિધાનસભા સંકુલમાં આવેલા 'ફાંસી ઘર' (Gallows) મુદ્દે સર્જાયેલા વિવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈ કેજરીવાલે જણાવ્યું કે, જે સ્થળે સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવતી હતી તેને ભાજપ સરકાર 'ટિફિન રૂમ' ગણાવીને શહીદોનું અપમાન કરી રહી છે.
SVP હોસ્પિટલમાં બેદરકારીનો આરોપ: વૃદ્ધાના મોત મામલે AAP નેતા વિનોદ પરમારનું સુપ્રિટેન્ડન્ટને આવેદન
અમદાવાદની SVP હોસ્પિટલમાં ગીરાબેન સોની નામના વૃદ્ધાના અપમૃત્યુને પગલે આમ આદમી પાર્ટીના નેતા વિનોદ પરમારે હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વિનોદ પરમારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી, PMJAY યોજનાના જટિલ નિયમો અને ICUમાં યોગ્ય દેખરેખના અભાવે આ ઘટના બની છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP તૈયાર: તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની પ્રવીણ રામની જાહેરાત
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગર પહોંચતા નેતા પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યમાં દારૂ સરળતાથી મળે છે પરંતુ પીવાનું પાણી મેળવવા મહિલાઓએ વલખાં મારવા પડે છે. સુરેન્દ્રનગરમાં ડેમ ભરેલો હોવા છતાં 5 દિવસે પાણી મળે છે તે ગંભીર બાબત છે.
AAP અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટ મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને અપાયું આવેદનપત્ર
આમ આદમી પાર્ટી (AAP) અમદાવાદ શહેર સમિતિ દ્વારા પીરાણા ડમ્પસાઇટના કચરાના પહાડને સમયસર દૂર ન કરવા બદલ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ખેડૂતોનો અનોખો વિરોધ: જસદણમાં AAP નેતા પ્રવીણ રામે ખેતરમાં પાકની હોળી કરી સરકારને પડકારી
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે રાજકોટ જિલ્લાના જસદણના આંબડી ગામે ખેડૂતો સાથે મળીને ખેતરમાં પકવેલા પાક અને સરકારના બજેટના કાગળિયાની હોળી કરી સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. 'પરિવર્તન લાવો, કિસાન બચાવો' યાત્રા દરમિયાન ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે પાક પકવ્યા બાદ પણ યોગ્ય વળતર મળતું નથી. આ વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સુધી ખેડૂતોની નારાજગીનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને બજેટમાં કરવામાં આવેલી અવગણના વિશેની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ અહે
ભાજપને ફંડ, ખેડૂતોને દંડ, પ્રવીણ રામનો જસદણમાં ધમાકેદાર આરોપ
પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા જસદણ પહોંચી. પ્રવીણ રામે ભાજપ પર ભ્રષ્ટાચાર અને ખેડૂતો પર દંડ-દરોડાના આરોપ લગાવ્યા. સિંચાઈ, વીજળી, પાક ભાવના મુદ્દા ઉઠાવ્યા. 8 માર્ચે અરવિંદ કેજરીવાલ સાથે મહાસભા.
AAP નેતા પ્રવિણ રામ અને જીગીશા પટેલે સભા દરમિયાન ભાજપ પર કર્યા આકરા પ્રહાર
AAPની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા રાજકોટ-ગોંડલ પહોંચી. પ્રવિણ રામે ખેડૂતો પર પોલીસ અત્યાચાર અને જીગીશા પટેલ પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો, ગુજરાતના ખેડૂતો માટે ન્યાયની માંગ.
ત્રણ માર્ચે ગ્રહણના દિવસે AAP કાર્યકર્તાઓ તમામ બૂથ પર હનુમાન ચાલીસાના પાઠ કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જાહેરાત કરી છે કે 3 માર્ચના ગ્રહણના દિવસે ગુજરાતભરમાં AAP કાર્યકર્તાઓ હનુમાન ચાલીસાના પાઠ કરશે. અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ નિર્દોષ જાહેર થતા તેને સત્યની જીત ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
ગોપાલ ઇટાલિયાની વિધાનસભામાં ગર્જના: "ખેડૂતો હેલિકોપ્ટર નથી માંગતા, માત્ર વીજ કનેક્શન માંગે છે"
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે જુનાગઢ અને અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો 8-10 વર્ષથી પરંપરાગત વીજ કનેક્શન માટે ધક્કા ખાઈ રહ્યા છે.
રાજસ્થાન પછી ગુજરાતમાં પણ બે સંતાન મર્યાદા રદ્દ કરો, ઈસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને મોટો પત્ર
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે સંતાન મર્યાદા રદ્દ કરવાની માંગ કરી છે. રાજસ્થાન સરકારે તાજેતરમાં પંચાયતી રાજ એક્ટ 1994ની કલમ 19 અને મ્યુનિસિપાલિટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની આ જોગવાઈ રદ્દ કરીને પ્રગતિશીલ નિર્ણય લીધો છે.
મતદાર યાદીમાં નામ કાપનારા સામે કાર્યવાહી કરો, ચૈતર વસાવાએ વિધાનસભામાં કરી મોટી માંગ
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ 7 (નામ કમી) ભરનારા સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે 17-18 જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં હજારો ફોર્મ ભરાયા, જેનાથી લોકોમાં ડર ફેલાયો.
કેજરીવાલજી નિર્દોષ, હવે ભાજપ ચૂપ, જામનગરમાં AAPની યાત્રા અને હનુમાનજીના આશીર્વાદ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામે જામનગરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન કર્યા. “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા દરમિયાન તેમણે જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સ્માર્ટ મીટર મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપ જીત્યું તો બીજા જ દિવસે સ્માર્ટ મીટર લાગશે, વીજળી બિલ વધશે. ખેડૂતોને યોગ્ય ભાવ, ખાતર-બિયારણ ન મળવા અને ટ્રેડ ડીલથી નુકસાનની ચિંતા વ્યક્ત કરી.
કેજરીવાલજી નિર્દોષ જાહેર થતા જામનગરમાં ઉજવણી
AAP ધારાસભ્ય હેમંત ખવા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ખેડૂત નેતા પ્રવીણ રામ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવીને ઉજવણી કરી.
આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક
આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP
કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.
કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય
હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.
રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ
ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.
ગોપાલ ઇટાલિયાનો પ્રહાર: ઘાટ કરતા ઘડામણ મોંઘુ – સસ્તા અનાજ કરતા કમિશન પાછળ કરોડોનો ધુમાડો
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં સસ્તા અનાજ વિતરણ અને શહેરી વિકાસના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૫૨ કરોડ રૂપિયા માત્ર દુકાનદારોના કમિશન પાછળ ખર્ચાયા છે, જે ગરીબોને મળતા અનાજની કિંમત કરતા વધુ છે.