મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

595 लेख
ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

ઈસુદાન ગઢવીનો હુંકાર: "અમે સત્તા માટે નહીં, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ"

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સામે આકરા પ્રહાર કર્યા છે. પંજાબમાં ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી આદિવાસી સમાજમાં ભારે રોષ હોવાનું જણાવી ગઢવીએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ઘેડમાં ખેડૂતોની કફોડી હાલત: ૭૦ ટકા મગફળીનો પાક નિષ્ફળ, AAP દ્વારા તાત્કાલિક સર્વેની માંગ

ઘેડમાં ખેડૂતોની કફોડી હાલત: ૭૦ ટકા મગફળીનો પાક નિષ્ફળ, AAP દ્વારા તાત્કાલિક સર્વેની માંગ

ઘેડ વિસ્તારમાં સતત વરસાદ અને પાણી ભરાવાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાણુંદર, ખેરડા અને આસપાસના ગામોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા, આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે કેશોદની ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની વેદના વાચા આપી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ખેડૂતોના સમર્થનમાં પ્રવીણ રામ: ટ્રાન્સમિશન લાઇન સામેની લડતને મળશે નવી ગતિ

ખેડૂતોના સમર્થનમાં પ્રવીણ રામ: ટ્રાન્સમિશન લાઇન સામેની લડતને મળશે નવી ગતિ

ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે, પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ૩ દિવસીય ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ લડતને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે આવતીકાલે, ૧૮ જુલાઈના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખેડૂતોને ખુલ્લું સમર્થન આપવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP આક્રમક: ૨૦ જુલાઈના રોજ નર્મદામાં યોજાશે વિશાળ રેલી

ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં AAP આક્રમક: ૨૦ જુલાઈના રોજ નર્મદામાં યોજાશે વિશાળ રેલી

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોટા પાયે સમર્થન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. AAP ના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા ધારાસભ્યનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના વિરોધમાં આગામી ૨૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ એક વિશાળ કાર્યક્રમ યોજીને રજૂઆત કરવામાં આવશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગિફ્ટ સિટીમાં HCL ટેકની મોટી છલાંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગ્લોબલ સેન્ટરનું લોકાર્પણ

ગિફ્ટ સિટીમાં HCL ટેકની મોટી છલાંગ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગ્લોબલ સેન્ટરનું લોકાર્પણ

ગુજરાતના આઈટી સેક્ટર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટનામાં, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગિફ્ટ સિટીમાં HCL ટેકનું નવું સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સેન્ટર સ્થાનિક યુવા પ્રતિભાઓ માટે રોજગારીની નવી તકોનું દ્વાર ખોલશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
કચ્છમાં પશુધનની કટોકટી: માલધારીઓની મદદ માટે AAP નેતા કિરણ દેસાઈની સરકારને આકરા શબ્દોમાં અપીલ

કચ્છમાં પશુધનની કટોકટી: માલધારીઓની મદદ માટે AAP નેતા કિરણ દેસાઈની સરકારને આકરા શબ્દોમાં અપીલ

કચ્છ જિલ્લામાં વરસાદની લાંબી ખેંચ અને તેના કારણે પશુધનની કથળતી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ કિરણ દેસાઈએ સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કચ્છના માલધારીઓને તાત્કાલિક રાહત આપવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

નેતાઓના ફોટા ઉપર હોવા અંગે AAP નેતા હિમાંશુ ઠક્કરના ભાજપ પર વાકપ્રહાર

રથયાત્રાના પવિત્ર અવસરે અમદાવાદમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે હોર્ડિંગ્સમાં ભગવાનના ફોટાની ઉપર નેતાઓના ફોટા લગાવવાની પદ્ધતિને 'બુદ્ધિનું પ્રદર્શન' ગણાવીને આકરા પ્રહારો કર્યા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

"હોટલમાં શાક ખાવાની જબરદસ્તી નથી, તો ઇંધણમાં કેમ?": E-20 પેટ્રોલ સામે ગોપાલ ઇટાલિયાની લડત

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પેટ્રોલ પંપો પર E-20 પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે અવાજ ઉઠાવતા તેને સરકારી દાદાગીરી ગણાવી છે. તેમણે માંગ કરી છે કે ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ અને E-20 પેટ્રોલ વચ્ચે પસંદગીનો વિકલ્પ મળવો જોઈએ.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
E-20 પેટ્રોલ વિવાદ: વાહનોના એન્જિન બગડતા આમ આદમી પાર્ટી મેદાને, શરૂ કરી 'સહી ઝુંબેશ'

E-20 પેટ્રોલ વિવાદ: વાહનોના એન્જિન બગડતા આમ આદમી પાર્ટી મેદાને, શરૂ કરી 'સહી ઝુંબેશ'

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ કેન્દ્ર સરકારના E-20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના ફરજિયાત ઉપયોગના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે આ નિર્ણયને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ અને વાહનોને નુકસાન પહોંચાડનાર ગણાવ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને અતાર્કિક ગણાવ્યું છે અને સુરતમાં વારંવાર આવતી પૂરની સમસ્યા માટે ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે નાની મોરસલ સિંચાઈ યોજનાના સ્થળની મુલાકાત લીધા બાદ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૫ વર્ષથી ચૂંટણી સમયે નર્મદાના પાણીના નામે ખેડૂતોને માત્ર છેતરવામાં આવે છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
"ખેડૂતો પર દરોડા પાડવા એ સરકારની હિટલરશાહી": પ્રવીણ રામનો સરકાર પર પ્રહાર

"ખેડૂતો પર દરોડા પાડવા એ સરકારની હિટલરશાહી": પ્રવીણ રામનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્સમિશન લાઈન અંગેના પરિપત્રને ખેડૂતોના હિતની વિરુદ્ધ અને કંપનીઓના હિતમાં ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
રથયાત્રા પૂર્વે AAP નેતાઓનું જગન્નાથ દર્શન: ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને ચૈતર વસાવા માટે કરી પ્રાર્થના

રથયાત્રા પૂર્વે AAP નેતાઓનું જગન્નાથ દર્શન: ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને ચૈતર વસાવા માટે કરી પ્રાર્થના

અમદાવાદમાં આગામી રથયાત્રાના ઉપલક્ષમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ જગન્નાથ મંદિરે જઈ ભગવાનના દર્શન કર્યા હતા.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
સુરત પૂર સહાય વિવાદ: AAP નેતા ધર્મેશ ભંડેરીનો આક્ષેપ, "સત્તાપક્ષના લોકો રાજકીય જશ ખાટી રહ્યા છે."

સુરત પૂર સહાય વિવાદ: AAP નેતા ધર્મેશ ભંડેરીનો આક્ષેપ, "સત્તાપક્ષના લોકો રાજકીય જશ ખાટી રહ્યા છે."

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને પૂર સહાય વિતરણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને રાજકીય દખલગીરી સામે વિરોધ નોંધાવ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ઝગડિયા GIDC બ્લાસ્ટ વિવાદ: AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર

ઝગડિયા GIDC બ્લાસ્ટ વિવાદ: AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર

આમ આદમી પાર્ટી (AAP) ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર ષડયંત્રના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય પદાધિકારીઓ પીડિતોને ન્યાય અપાવવા ગયા હતા, પરંતુ તેમને બદલે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાને બદલે AAP નેતાઓ પર ખોટી FIR નોંધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
"અમારી સરકાર બનશે ત્યારે જનરલ ડાયરને સજા કરીશું": ગોપાલ ઇટાલિયાનું આકરા તેવર સાથે નિવેદન

"અમારી સરકાર બનશે ત્યારે જનરલ ડાયરને સજા કરીશું": ગોપાલ ઇટાલિયાનું આકરા તેવર સાથે નિવેદન

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા નીતિન પટેલના તાજેતરના નિવેદનનો સંદર્ભ આપતા પાટીદાર આંદોલન સમયના ગોળીબાર માટે જવાબદાર વ્યક્તિને 'જનરલ ડાયર' ગણાવીને તેમને ઓળખવા અને સજા અપાવવાની માંગ કરી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ખેડૂતોના સમર્થનમાં બોલનારાઓના આવા જ હાલ થશે? મોરબી-જેતપુર રેડ પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

ખેડૂતોના સમર્થનમાં બોલનારાઓના આવા જ હાલ થશે? મોરબી-જેતપુર રેડ પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવે છે, તેને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે. મોરબી-જેતપુરમાં મંત્રીના ભાઈની ફેક્ટરી પર પડેલી રેડને તેમણે આ જ અભિયાનનો એક ભાગ ગણાવી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

જામ ખંભાળિયા ખાતે યોજાયેલી 'સંગઠન સંકલ્પ અભિયાન' બેઠકમાં કોંગ્રેસના મહત્વના આગેવાનોએ પક્ષપલટો કરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણથી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જિલ્લામાં AAPનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુરત પૂર વિવાદ: ધારાસભ્ય કુમાર કાનાણીના તોછડા વર્તન પર 'આપ' નેતા રજનીકાંત વાઘાણીના આકરા પ્રહાર

સુરત પૂર વિવાદ: ધારાસભ્ય કુમાર કાનાણીના તોછડા વર્તન પર 'આપ' નેતા રજનીકાંત વાઘાણીના આકરા પ્રહાર

સુરતમાં આવેલા પૂર જેવી મુશ્કેલીના સમયમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સામાન્ય નાગરિકો સાથે કરવામાં આવેલા તોછડા વર્તન અને 'પાણી નિકાલનું મશીન નહીં મળે, જે થાય તે કરી લો' તેવા નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીએ ધારાસભ્યની આકરી ઝાટકણી કાઢી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું: AAP એ ભાજપના શાસકો પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના લગાવ્યા ગંભીર આરોપ

સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું: AAP એ ભાજપના શાસકો પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ માટે ભાજપ સરકારને સીધી જવાબદાર ઠેરવી છે. 'આપ' નેતાઓએ આ પરિસ્થિતિને કુદરતી આફતને બદલે 'ભાજપ સર્જિત હોનારત' ગણાવી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા