અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડમાં જાણો શહેરના શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો, લોકપ્રિય વાનગીઓ જેમ કે ફાફડા, ઢોકળા અને પાણીપુરી, અને સ્વાદનો અનુભવ લેવાની ટિપ્સ. આ લેખ તમને લઈ જશે અમદાવાદના સ્ટ્રીટ ફૂડની દુનિયામાં!
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે
તા. ૨૯ અને ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત મેંદરડા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આપશે હાજરી.
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું 'વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન.
આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ.
અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 22મી માર્ચના રોજ એક દિવસીય "હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ"નું આયોજન કર્યું હતું.
ગુજરાતના વડોદરામાં એક સાત માળની ઇમારતમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.
શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભારતનાટ્યમના માધ્યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલિ અર્પી હતી.
કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં જાણીતા ગાયક શ્રી ઓસમાણ મીર તથા શ્રી આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસતરબોળ કર્યા હતાં.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનો પુનરોચ્ચાર કર્યો
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 38 લોકો ઘાયલ થયા હતા. ભૂજ નજીક કેરા-મુન્દ્રા રોડ પર આ ભયાનક ટક્કર થઈ હતી
દુધાળા ગામે આવેલ વિશ્વાસ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી કેમેરામા બે ડાલા મથા સિંહો થયા કેદ. દુધાળા થી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વિશ્વાસ પેટ્રોલ પંપ પાસે બે સિંહો રોડ પસાર કરતા હોય તેવા સીસીટીવી કેમેરા મા કેદ.
GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજિત 10 મો એજ્યુકેશન ફેસ્ટીવલ 2024/25 કાર્યક્રમ યોજાયો હતો.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ટેક્નોલોજી એનેબ્લિંગ સેન્ટર (TEC) એ નવીન અને ક્રાંતિકારી પવન ઉર્જા સિસ્ટમ વિકસાવી છે, જેમાં આર્કિમિડિઝ વિન્ડ મીલ અને ટ્રમ્પેટ વિન્ડ ટર્બાઇનનું એકીકરણ કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ગુજરાત મ્યુનિસિપલ ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવ્યો છે, 68 માંથી 60 નગરપાલિકાઓમાં સંપૂર્ણ બહુમતી મેળવી છે. પક્ષના નોંધપાત્ર પ્રદર્શનથી ભગવા છાવણીમાં ઉજવણીનો માહોલ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં વિવિધ શહેરી વિકાસ પહેલ માટે રૂ. ૫૩૭.૨૧ કરોડની નોંધપાત્ર ફાળવણીને મંજૂરી આપી છે
સપ્ટેમ્બર 2012 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્થાપિત, સુરક્ષા સેતુ સોસાયટી સમગ્ર ગુજરાતમાં સમુદાય પોલીસિંગ અને જાહેર સલામતી વધારવામાં એક મુખ્ય બળ રહી છે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણમાં નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત, આ શાળા શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) પોલિસી 2025-30 લોન્ચ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું આઠમું સંસ્કરણ અમદાવાદની શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં પ્રસારણમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી પરીક્ષાની તૈયારી અને તણાવ વ્યવસ્થાપન પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.
ભુજ સેશન્સ કોર્ટે સોમવારે નિવૃત્ત IPS અધિકારી કુલદીપ શર્માને 1984ના હુમલાના કેસમાં સંડોવણી બદલ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઘટનાના 41 વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે
ગુજરાત રાજ્યનું બજેટ 20 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના પાકને બચાવવા માટે તાર વાડ યોજના માટે ભંડોળ વધારવાની વિનંતી કરી છે.
લગભગ ત્રણ દાયકા પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જંગી જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં, ભાજપના કાર્યકરો અને નેતાઓ પાર્ટી કાર્યાલય પર એકઠા થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાજરીના પોષક અને કૃષિ લાભોના પ્રબળ હિમાયતી રહ્યા છે, સ્વસ્થ આહાર અને પર્યાવરણને અનુકૂળ ખેતીમાં તેમની ભૂમિકા પર ભાર મૂકે છે. તેમના પ્રયાસોને કારણે સંયુક્ત રાષ્ટ્રએ 2023 ને 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' તરીકે જાહેર કર્યું, જેનાથી સમગ્ર ભારતમાં બાજરીની ખેતી અને વપરાશને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
હા, ગુજરાત હવે ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓને, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
76મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સફળ ટેબ્લો પાછળની ટીમ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી, જ્યાં તેમણે રાજ્ય સાંસ્કૃતિક પ્રદર્શનમાં ત્રીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા
ડાંગ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુ:ખદ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં, તાપી જિલ્લા માટે ૨૪૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શ્રેણી શરૂ કરી, જે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠું પડી શકે છે. આ સાથે, 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેવાની પણ શક્યતા છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી ડબલ-ડેકર બસોની સેવા હવે મુસાફરોના અભાવને કારણે બંધ કરવામાં આવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
ગુજરાતના વડોદરામાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે અધિકારીઓએ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના ગોટા વોર્ડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં CIMS રેલ્વે ઓવર બ્રિજની સાયન્સ સિટી બાજુમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.
ગુજરાતના પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં મિકેનિક તરીકે કામ કરતા ડુડખા ગામના રહેવાસી યુવકને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.
અંબાજી ખાતે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ', 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન સુનિશ્ચિત થયેલ છે, જેમાં લાખો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા સાથે એક ભવ્ય આધ્યાત્મિક મેળાવડો બનવાનું વચન આપે છે.
નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (eNAM) પોર્ટલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2016 માં શરૂ કરવામાં આવ્યું હતું, જે ભારતીય ખેડૂતો તેમની ઉપજ વેચવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યું છે. ઓનલાઈન ટ્રેડિંગને સક્ષમ કરીને, પ્લેટફોર્મ ખેડૂતોને વધુ સારી કિંમતો મેળવવા અને તેમની આવકમાં સુધારો કરવાની મંજૂરી આપે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો થાય, તેવા ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-NAM) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ લાખથી વધુ ખેડૂતો એટલે કે, ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.
BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એડવોકેટ વિરલ આર. પંચાલે રજૂ કરેલી તેમની અરજીની આજે સુનાવણી હાથ ધરાશે. ઝાલા હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે મહેસાણા જિલ્લામાં વડનગર પુરાતત્વ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે અમદાવાદના મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના રહેવાસીઓ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. સમાજને રંગબેરંગી પતંગો અને અટપટી રંગોળીઓથી શણગારવામાં આવી હતી, જેનાથી ઉત્સવનું વાતાવરણ ઊભું થયું હતું.
ગુજરાતીઓ માટે ઉત્તરાયણ માત્ર તહેવાર નથી; તે આનંદ, આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉજવણી છે, જે રંગબેરંગી પતંગ ઉડાડવામાં આવે છે. દર વર્ષે, 14 અને 15 જાન્યુઆરીના રોજ, સમગ્ર ગુજરાતમાં લોકો આ વાઇબ્રન્ટ પ્રસંગને માણવા માટે ધાબા પર ભેગા થાય છે.
ઉતરાયણ પર્વ કાઈપો, એ... લેપેટના ખુશખુશાલ મંત્રોચ્ચાર સાથે. ઉત્સવ, ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે માત્ર પતંગ ઉડાડવા માટે જ નથી પરંતુ સંગીત અને આનંદની સાથે ઉંધીયા અને જલેબી જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ માણવાનો પણ છે
રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લીધો. ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લીધો.
ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે.
વડોદરા : જેમ જેમ ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થાય છે તેમ, પતંગના દોરાની માંગમાં વધારો થયો છે, જેના કારણે વેપારીઓ નફો વધારવા માટે ચાઈનીઝ ફુગ્ગાઓ અને દોરાઓનું વેચાણ કરીને તેમની તકોમાં વધારો કરે છે. જો કે, આનાથી ચિંતા વધી છે, જેના કારણે ગેન્ડીગેટ ચિત્તેખાનની ખળભળાટવાળી શેરીઓ પર વાડી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
પંચમહાલ મોરવાહડફ પોલીસે શહેરમાં દારૂની રેલમછેલ અટકાવવી છે, જેમાં એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આઈસર ટેમ્પોમાં ચોરીના તંત્રનો ઉપયોગ કરીને વિદેશી દારૂ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે, જેમાં કમલેશ શાહ, મીના શાહ, દેવાંગ વ્યાસ, ગૌરાંગ પંચાલ, રમેશ ઠક્કર અને NR એન્ડ કંપની અને ND ગોલ્ડ જેવા વ્યવસાયો જેવા વ્યક્તિઓના રહેઠાણો અને ઓફિસો સહિત સમગ્ર શહેરમાં 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે શમી જતાં હવામાનની પેટર્નમાં ફેરફાર થવાનો છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યભરમાં 14 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે.
અમરેલી પત્ર કાંડ મામલે પાટીદાર યુવતીની ધરપકડ કરીને સરઘસ કાઢવામાં આવ્યા બાદ અમરેલીમાં રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપના સાંસદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. પુત્રી પ્રત્યેના વર્તનની નિંદા કરી છે.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ધોરણ ૧-૨ ની શિક્ષક તાલીમ માટેના માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
રાજસ્થાનના બે મહિનાના શિશુએ અમદાવાદ, ગુજરાતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, જે રાજ્યનો પ્રથમ નોંધાયેલ કેસ છે. સરવરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયેલ બાળક સારવાર હેઠળ છે.
ભારતીય માનક બ્યુરો - બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ૭૮માં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્કલેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. BISના અમદાવાદ કાર્યાલય દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આ કોન્કલેવ યોજવામાં આવી હતી.
ગુજરાતના કચ્છ જિલ્લામાં શનિવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઘર છોડીને ભાગવા લાગ્યા. જાણો ભૂકંપની તીવ્રતા કેટલી હતી?